મંકીપોકસ ચેપને રોકવા માટે, અત્યાર સુધીમાં વિશ્વભરમાં ત્રણ પ્રકારની રસી બહાર પાડવામાં આવી છે, જેને ભારતમાં મંજૂરી આપવામાં આવી નથી. નવી દિલ્હી સ્થિત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી) દ્રારા રાયો માટે જારી કરાયેલ એલર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી અને મંકીપોકસ સંક્રમણ અંગેના નિયમોમાં તફાવત છે. મંકીપોકસ અંગે ભારતમાં અત્યારે સામૂહિક રસીકરણની જર નથી. હોમ આઇસોલેશન ઉપરાંત વિવિધ પ્રોટોકોલ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એનસીડીસીના એક વરિ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે હાલમાં મંકીપોકસ માટે ત્રણ રસીઓનું લાઇસન્સ છે, જેમાંથી એક વેકિસનિયા અંકારા–બીએન નામની સુધારેલી રસી છે જે બે ડોઝમાં આપી શકાય છે. તેને અમેરિકા, કેનેડા અને યુરોપમાં મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય એલસી૧૬–કેએમબી અને રશિયાની ઓર્થેાપોકસવેક રસી જાપાનમાં મંજૂર છે.
વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને માત્ર એવા લોકો માટે જ રસીકરણની સલાહ આપી છે જેઓ હાઈ–રિસ્ક કેટેગરીમાં આવે છે, જેઓ ધંધા અથવા અન્ય કારણોસર અસરગ્રસ્ત દેશોમાં વારંવાર પ્રવાસ કરે છે. ભારતે રસીકરણ માટે કોઈ એડવાઈઝરી જારી કરી નથી. વાસ્તવમાં, એમ પોકસ એટલે કે મંકીપોકસ એક વાયરલ રોગ છે જે ઓર્થેાપોકસ વાયરસની એક પ્રજાતિને કારણે થાય છે. કલેડ ૧ અને કલેડ ૨ નામના આ વાયરસના બે જુદા જુદા ગ્રુપ છે. ૨૦૨૨ અને ૨૦૨૩માં વિશ્વભરમાં કલેડ ૨બીના કારણે મંકીપોકસના કેસોમાં વધારો થયો છે. તે જાતીય સંપર્ક દ્રારા મનુષ્યોમાં ફેલાય છે.
રાયોને કહેવામાં આવ્યું છે કે ચેપગ્રસ્ત દેશોના પ્રવાસેથી પરત ફરતી કોઈપણ વયની વ્યકિતએ ઓછામાં ઓછા ૨૧ દિવસ સુધી સાવચેત રહેવું જોઈએ. જે વ્યકિત વાયરસના સંપર્કમાં આવે છે, તેને તાવ સામાન્ય રીતે એકથી ત્રણ દિવસમાં શ થાય છે અને બેથી ચાર અઠવાડિયા સુધી રહે છે. જયારે ૨૪ કલાકની અંદર, તે ચહેરાથી હાથ, પગ, હથેળી અને તળિયા સુધી ફેલાવાનું શ કરે છે. જે લોકો ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા હતા તેઓનું પણ ૨૧ દિવસ સુધી નિરીક્ષણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech