ગિરનાર પર ૭૨ કિ.મી.ની ઝડપે પવનથી રોપ–વે સતત ત્રીજા દિવસે બંધ

  • February 07, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેસ્ટન ડીસ્ટર્બન્સના કારણે તાપમાન ફરી ઘટું છે અને ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જૂનાગઢમાં આજે લઘુતમ તાપમાન ૧૩.૨ નોંધાયું હતું પરંતુ ૭.૫ની ઝડપે ઠંડા પવનના કારણે વાતાવરણ ઠંડુ ગાર થયું છે. મધ રાત્રે અને સવારે પવનના સુસ્વાટાના કારણે બારીના ખખડાટ થી શહેરીજનોએ વાવાઝોડા જેવો અનુભવ કર્યેા હતો. તો બીજી તરફ પવનના કારણે શહેરના ધૂળિયા રસ્તા થી વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળના કારણે સાફ–સફાઈ ન થઈ શકતી હોવાથી વેપારીઓની હાલત કફોડી થઈ છે.
ગિરનાર પર્વત પર ૮.૨ લઘુતમ તાપમાન નોંધાયું હતું. પરંતુ ૭૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનના કારણે રોપવે આજે સતત ત્રીજા દિવસે પણ બધં રહ્યો હતો. પર્વત પર વાતાવરણ ઠંડુ ગાર થતા પ્રવાસીઓને કાશ્મીરી વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. આજે નોંધાયેલા હવામાનમાં શહેરમાં લઘુતમ તાપમાન ૧૩.૨, ભવનાથ તળેટીમાં ૧૧.૨, ગિરનાર પર્વત પર ૮.૨, વાતાવરણમાં ભેજ ૫૦ ટકા અને ૭.૫ ની ઝડપે પવન ફંકાયો હતો.  ભેજ ઘટતા સૂકા પવનના કારણે ઠંડી વધુ અનુભવાઈ રહી છે હજુ આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application