રોહિત શર્મા રમશે તો તે બેહોશ થઇ જશે,આવું બોલનાર ભૂતપૂર્વ ખેલાડી કોણ છે? જે થઇ રહ્યો છે ટ્રોલ

  • July 24, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે હાલમાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે આવી વાતો કહી હતી, જેના પછી તેમના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી વનડે ક્રિકેટ રમી શકે છે. જો તેઓ ફિટ રહેશે તો બંને ખેલાડીઓ ODI વર્લ્ડ કપ 2027માં પણ રમતા જોવા મળશે. જોકે પૂર્વ ક્રિકેટર કૃષ્ણમચારી શ્રીકાંત ગૌતમ ગંભીરના આ નિવેદન સાથે બિલકુલ સહમત નથી. શ્રીકાંતે યુટ્યુબ લાઈવમાં રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે રોહિતે 2027નો વર્લ્ડ કપ ન રમવો જોઈએ.

શ્રીકાંતે શું કહ્યું?


શ્રીકાંતે પોતાના પુત્ર અનિરુદ્ધ સાથે વાત કરતા રોહિત શર્મા પર પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું  કે ‘વિરાટ કોહલી એક ચેમ્પિયન ખેલાડી છે. રોહિત શર્માએ 2027નો વર્લ્ડ કપ ન રમવો જોઈએ. તે દક્ષિણ આફ્રિકામાં બેહોશ થઈ જશે.’  શ્રીકાંતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને રોહિતના ચાહકો આ ભૂતપૂર્વ ખેલાડીને ટ્રોલ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે શ્રીકાંતે રોહિત શર્મા પર નિશાન સાધ્યું હોય. શ્રીકાંતે IPL 2024 દરમિયાન કહ્યું હતું કે રોહિત શર્માએ પોતાનું નામ બદલીને નો હિટ શર્મા રાખવું જોઈએ. તે સમયે રોહિત શર્માનું પર્ફોમન્સ એટલું સારું ન હતું અને તેથી જ શ્રીકાંત તેના પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કરી રહ્યો હતો. જોકે રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.


શ્રીકાંતે રોહિતને ન આપ્યું સ્થાન


વર્ષ 2011માં જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ટીમના મુખ્ય પસંદગીકાર કે. શ્રીકાંત જ હતા. શ્રીકાંતે મોટો નિર્ણય લેતા રોહિત શર્માને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દીધો હતો. તેની જગ્યાએ યુસુફ પઠાણને તક મળી હતી. શ્રીકાંત રોહિત શર્મા વિરુદ્ધ સતત નિવેદનો આપતા રહે છે અને મોટી વાત એ છે કે હિટમેન તેને ઘણીવાર ખોટો સાબિત કરી ચુક્યો છે. રોહિતના ચાહકોને આશા છે કે રોહિત 2027ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરે અને ભારત વર્લ્ડ ચેમ્પિયન બને.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application