અંધાશ્રમ પાસેના રેલ્વે ક્રોસીંગનું રીપેરીંગ કરવાનું હોય મ્યુ.કમિશ્નરે બહાર પાડયું જાહેરનામુ
જામનગર મહાનગરપાલિકાના મ્યુ.કમિશ્નરે ડીપીએમસી એકટ 1949ની કલમ 236 મુજબ એક જાહેર નોટીસ બહાર પાડી જામ્યુકોની હદમાં દિગ્જામ સર્કલથી સમર્પણ રોડ પર અંધાશ્રમ પાસેના રેલ્વે ક્રોસીંગ નં.200 પર એક એક્ષપાન્સન જોઇન્ટનું મેઇન્ટેનન્સ કરવાનું હોય સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે એક બાજુનો (જીએસપીસી ગેસ સ્ટેશન સાઇડ) તરફનો રસ્તો તા.23 થી તા.26 સુધી ચાર દિવસ બંધ રાખવા હુકમ કર્યો છે.
મ્યુ.કમિશ્નરે નોટીસમાં જણાવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર સામે બીપીએમસી કલમ 1949ની કલમ 392 હેઠળ દંડની કાર્યવાહી કરાશે, વૈકલ્પીક વ્યવસ્થા માટે સમર્પણ સર્કલથી સત્યમકોલોની અન્ડરબ્રિજ થઇ આઇજી રોડ જઇ શકાશે તેમ સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ સુધી જમણી બાજુ રેલ્વે બ્રીજ ક્રોસ કરી દિગ્જામ સર્કલ જઇ શકાશે. ભારે વાહનો માટેની પણ વૈકલ્પીક વ્યવસ્થા કરાઇ છે, જેમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ થઇ જમણી બાજુ રેલ્વે ઓવરબ્રિજ ક્રોસ કરી દિગ્જામ સર્કલ જઇ શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech