સિહોર નગરપાલિકામાં પ્રમુખ અને ચેરમેનની પાણી વિભાગ સાથે રિવ્યુ બેઠક

  • April 11, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ અને પાણી પુરવઠા વિભાગના ચેરમેન ગીતાબેન બુધેલીયાએ નગરપાલિકા ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રમુખ અને ચેરમેન દ્વારા પાણી મુદ્દે ગંભીર ચર્ચાઓ કરી હતી. શહેરભરની પાણીની સમીક્ષા કરી સંબંધિત અધિકારી કર્મીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા હતા.   શહેરના લોકોને ઉનાળામાં પાણી અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તે રીતે કામગીરી હાથ ધરવા સર્વે અધિકારીઓને નિર્દેશ કર્યો હતો. તેમજ પાણી માટેમાં પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવી જરૂરીયાત મુજબના કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા પણ સૂચન કર્યું હતું. આ વેળાએ ઘનશ્યામભાઈ પરમાર, અલ્પેશ ત્રિવેદી, દેવરાજ બુધેલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application