ગુજરાત રાજ્યના પૂર્વ સનદી અધિકારી ડો. સુદીપ કુમાર નંદાને યુએસએમાં ઘાતક હ્રદયરોગનો હુમલો આવયો હતો.જે તેમના માટે જીવલેણ પુરવાર થયો હતો.અમેરીકામા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.એકદમ સરળ પ્રકૃતિના અને સંવેદનશીલ અધિકારી હતા.તેઓ એક ઉમદા સંચાલક લેખક અને તત્વચિંતક પણ હતા
ડો. એસ. કે. નંદા વરિષ્ઠ નિવૃત અધિકારી હતા અને તેમની કારકિર્દી દરમિયાન ગુજરાત સરકારમાં વિશિષ્ટ હોદ્દા પર રહી ચૂક્યા છે. સરકાર સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, ડો. નંદાએ આરોગ્ય, પ્રવાસન, માહિતી અને પ્રસારણ, નાણાં, અન્ન અને નાગરિક પુરવઠા, વન અને પયર્વિરણ જેવા મુખ્ય સરકારી વિભાગો સફળતાપૂર્વક સંભાળ્યા છે. તેમની પાસે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્સ, હેલ્થ વગેરે ક્ષેત્રનો સમૃદ્ધ અનુભવ હતો. ડો. નંદાએ વ્યાવસાયિક મહત્વના વિષય પર ઘણા લેખો તેમજ પુસ્તકો લખ્યા હતા. 2002 પછીના રમખાણોમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે પીએમઓ તરફથી પ્રશંસા સહિત અનેક પુરસ્કારો તેમને મળ્યા હતા. તેઓ તેમની વિશિષ્ટ કારકિર્દીના સમયગાળા દરમિયાન ઘણા નોંધપાત્ર પુરસ્કારોના પ્રાપ્તકર્તા હતા.
સક્રિય સિવિલ સર્વિસ પછી ડો. નંદા આદિવાસી વિકાસ, ગર્લ ચાઈલ્ડ, પયર્વિરણ, સ્કાઉટ ઓર્ગેનાઈઝેશન, હેમ રેડિયો અને કલા અને સંસ્કૃતિના પ્રચાર જેવા વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા હતા.ડો. એસ.કે. નંદા શરૂઆતના દિવસોથી જ અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપતા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech