સોપારીની હોલસેલ ખરીદી પેટે આપેલો પિયા ૪૦ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે રિટેલર વેપારીને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર તરીકે એક માસમાં ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ, માહી માર્કેટિંગના નામથી સોપારીનો હોલસેલ વ્યવસાય કરતા રીયાઝ રફીકભાઈ વીચ્છી રિટેલર વેપારી કયુમ અરબાનીએ સને ૨૦૨૧ની સાલમાં કટકે કટકે રકમ ા. ૪૦,૨૭,૭૨૬– ની સોપારી ખરીદ કરેલ હતી અને તે રકમ ચુકવણી માટે કયુમ અરબાનીએ રીયાઝભાઈને પોતાના ખાતાવાળી બેંકનો ચેક આપ્યો હતો.તે ચેક તા. રર૧૨૨૧ ના રોજ બેંકમાં રજુ કરતા 'ફડં ઈનસફીસીયન્ટ' ના શેરા સાથે પરત ફરતા રીયાઝભાઈએ કયુમ અરબાનીને પોતાના વકીલ મારફતે લીગલ નોટીસ મોકલવા છતા ચેકની રકમ ચુકવેલ નહી. રીયાઝભાઈએ આરોપી કયુમ વિધ્ધ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઈઓ મુજબ કોર્ટમાં ફરિયાદ કરી હતી. સદરહત્પ કેસ ચાલતા ફરિયાદી પક્ષે સોપારીની ખરીદીના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, આરોપી કયુમ પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ ગયેલ અને ફરીયાદીના વકીલ ધ્રુવિન એ. છાયાની ધારદાર દલીલો અને વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટના એડિશનલ ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી કયુમ અરબાનીને તકસીરવાર ઠેરવી ૧ વર્ષની કેદ તથા ફરીયાદીને વળતર પેટે રકમ ા. ૪૦,૨૭,૭૨૬– એક માસની અંદર ચુકવી આપવા અને જો ચુકવવામા ન આવે તો વધુ ૬(છ) માસની વધારાની સાદી કેદની સજાનો હત્પકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ ધ્રુવિન એ. છાયા, સંદીપ એમ. ખેમાણી, વીનેશ કે. છાયા, કમલેશ એન. સાકરીયા, અનીધ્ધભાઈ આર. ધાણેજા, નીર્મીતગીરી ગોસ્વામી તથા વીશાલ એ. સોલંકી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech