જામનગરનાં શહેરીજનોને સુમાહિતગાર કરવામાં આવે છે કે, નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના મિલ્કત વેરા તથા તેને સંલગ્ન અન્ય વેરા ભરપાઈ કરવાની કાયદાકિય મુદ્દત તા.૦૧/૦૪/૨૦૨૪ અને તા.૦૧/૧૦/૨૦૨૪ વિતિ ગયેલ છે.ચાલુ નાણાંકિય વર્ષનાં વેરા બિલો એસએમએસ મારફત અને રૂબરૂ દરેક મિલ્કતધારકોને બજાવવી આપવામાં આવેલ છે.
ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન એડવાન્સ ટેક્સ રિબેટ અને ૧૦૦ % વ્યાજમાફી જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે પરંતુ હજુ પણ ૬૦ % થી વધુ મિલ્કતધારકો દ્વારા તેઓનો બાકી વેરો ભરપાઈ કરેલ નથી. વેરા વસુલાત અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોરંટ અને અનુસૂચીની બજવણી હાલ કરવામાં આવી રહેલ છે. વોરંટ અને અનુસૂચી બજવણી બાદ મિલ્કત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મિલ્કત જપ્તીની કાર્યવાહીથી બચવા આપનો બાકી રહેતો મિલ્કત વેરો તથા અન્ય સંલગ્ન વેરા તુરંત જ જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવે છે.તેમ જામનગર મહાનગરપાલિકાના (ટેક્સ) આસિસ્ટન્ટ કમિશ્નરની યાદીમાં જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરએફ એક મહોરુ છે પણ તેની પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ
April 23, 2025 11:14 AMજગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો કાલે પ્રાગટ્ય મહોત્સવ
April 23, 2025 11:08 AMજામનગર: 25 એપ્રિલના રોજ કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
April 23, 2025 11:07 AMજામનગર મનપાના ઈન્ચાર્જ સિક્યુરિટી ઓફિસરને નોટિસ
April 23, 2025 11:05 AMઆતંકીઓ પોલીસ અને સેનાના ગણવેશમાં હોઈ પ્રવાસીઓ ભારતીય સૈનિકોને પણ આતંકી સમજી બેઠા
April 23, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech