આરબીઆઈ પાંચ વર્ષમાં પહેલી વાર રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. વિશ્લેષકો માને છે કે ૭ ફેબ્રુઆરીએ થનારી જાહેરાતમાં કેન્દ્રીય બેંક આ અંગે નિર્ણય લઈ શકે છે. પાંચ વર્ષથી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી અને તે એ જ રહ્યો છે. મુખ્ય નીતિ દર છેલ્લે મે ૨૦૨૦ માં ઘટાડવામાં આવ્યો હતો. ભારતીય રિઝર્વ બેંક આ અઠવાડિયે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે.
આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની બેઠક ૫–૭ ફેબ્રુઆરી દરમિયાન થશે. વિશ્લેષકો માને છે કે વપરાશ આધારિત માંગને વધારવા માટે કેન્દ્રીય બેંક રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. જોકે, પિયામાં ઘટાડો ચિંતાનો વિષય છે. પિયો ૮૭ ની નીચે આવી ગયો છે. છેલ્લા મોટા ભાગના સમયગાળા દરમિયાન છૂટક ફુગાવો આરબીઆઈના ૬ ટકાના લયાંકની અંદર રહ્યો હતો. આવી સ્થિતિમાં, સુસ્ત વપરાશથી પ્રભાવિત આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાક્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે આ વખતે બે કારણોસર દર ઘટવાની શકયતા છે. પ્રથમ, આરબીઆઈ દ્રારા બજારમાં રોકડનો પ્રવાહ વધારવાની જાહેરાતને કારણે બજારની સ્થિતિમાં સુધારો થયો છે. ૨૭ જાન્યુઆરીએ, જાહેરાત કરવામાં આવી હતી કે બેંકિંગ સિસ્ટમમાં ૧.૫ લાખ કરોડ પિયા રોકડા દાખલ કરવામાં આવશે. આ પણ દર ઘટાડા માટે એક શરત હતી. બીજું, બજેટમાં પ્રોત્સાહન
પૂં પાડવામાં આવ્યું છે અને તેને ટેકો આપવા માટે રેપો રેટ ઘટાડવો યોગ્ય રહેશે. રાષ્ટ્ર્રીય આંકડાકીય કાર્યાલયે જીડીપી વૃદ્ધિ દર ૬.૪ ટકા હોવાનો અંદાજ મૂકયો હોવાથી આપણે વૃદ્ધિ આગાહીમાં ફેરફારની અપેક્ષા રાખી શકીએ છીએ.
આઈસીઆરએના ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે, અમાં માનવું છે કે આ વખતે રેપો રેટમાં ઘટાડાની તરફેણમાં વલણ છે. આરબીઆઈ એ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી રેપો રેટ ૬.૫ ટકા પર યથાવત રાખ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન રાહત આપવા માટે, દરોમાં સતત ઘટાડો કરવામાં આવ્યો હતો અને પછી તેને ધીમે ધીમે ૬.૫ ટકા સુધી વધારવામાં આવ્યો હતો. નવા ગવર્નર સંજય મલ્હોત્રા તેમની પ્રથમ એમપીસી બેઠકની અધ્યક્ષતા કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં વાહનચોર ટોળકી સક્રિય : ત્રણ સ્થળે ચોરી
February 04, 2025 01:13 PMઆગામી તા.27 ફેબ્રુઆરીના રોજ જામનગર 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે
February 04, 2025 01:01 PMવિશ્વ કેન્સર દિવસ 2025: બાળકોમાં જોવા મળતું સૌથી સામાન્ય કેન્સર લ્યુકેમિયા, જાણો લક્ષણો
February 04, 2025 12:36 PMખંભાળિયા નજીક આઈસરમાં લઈ જવાતા ૧૧ પશુઓ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
February 04, 2025 12:35 PMજામનગરમાં વિદેશી દારૂની ૨૨૮ બોટલ કબ્જે લેતી એલસીબી
February 04, 2025 12:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech