રાજકોટ જિલ્લાના વહીવટી તંત્રમાં એકસાથે ૨૨ નાયબ મામલતદારની બદલી થયાનો મામલો રોજબરોજ ગાજી રહ્યો છે. કેટલીક બદલીઓને લઈને હવે કલેકટર કમ્પાઉન્ડમાં એવી ચર્ચાઓ જાગી છે કે, બદલી થઈ કે બદલો લેવાયો ? મોટા ગજાના એક રાજકારણીના ઈશારે ટાર્ગેટેડ બદલીઓ હોવાની નારાજગી દેખાઈ રહી છે. એક કર્મચારીને તેના નજીકના સ્વજને ચૂંટણી લડી હતી તે નડી ગયાની વાતો ચર્ચાઓ વહેતી થઈ છે.
નાયબ મામલતદારોની બદલીમાં રાજકોટ સીટી, તાલુકા ઉપરાંત જેતપુર, ગોંડલ, જામકંડોરણા અને હોટ એવા જસદણ, વિંછીયાની કચેરીઓમાં ફરજ બજાવતા ૨૨ કર્મચારીઓને અરસપરસ તાલુકા કે કચેરીમાં અદલ બદલ કરી નખાયા છે. જેમાં કેટલાક તો એવા છે કે, હજુ પુરૂ માંડ એક વર્ષ થયું છે અને કેટલાકને હજુ મહિનાઓ થયા છે. સામાન્ય રીતે ત્રણ વર્ષની મહેતલ મુજબ બદલી થતી રહે છે પરંતુ આ બદલીમાં ત્રણ વર્ષ તો કદાચ આંગળીના વેઢે ગણાય તેટલાને થયા છે. કેટલાક નાના બાળક પરિવારથી દુર થઈ જાય એ રીતે સજા ગણો તો સજા અને રાજકારણીને રાજીપો રહે મજા રહે તે મુજબ બદલી થયાનો આક્ષેપ કે આવો ઉકળાટ ચાલી રહ્યો છે.
બદલીની બે દિવસથી વહેતી ચર્ચામાં એક નવી વાત એવી બહાર આવી છે કે, એક પંથકના મોટા ગજાના રાજકારણી ગણાતા વ્યકિતના સાવ નજીકના ટેકેદાર સામે બદલીમાં રહેલા કર્મચારીનો નજીકના સ્વજન ચૂંટણી લડયો હતો અને વિજેતા પણ બની ગયો હતો. જે તે સમયે આ કર્મચારીને કે ચૂંટણી લડનારને રાજકીય દબાણ કે પ્રેમથી માની જાય તેવા પ્રયાસ પણ થયા હતાની ચર્ચા છે.
લોકશાહીમાં સ્વતંત્રા હોય તે મુજબ ચૂંટણી લડનાર વ્યકિતએ નમતું ન જોખ્યું અને વિજેતા પણ થઈ જતાં કહેવાય છે કે, રાજકારણીને એ ખટકી ગયું હતું અને કદાચ તેના ભાગરૂપે બદલો લેવા કોઈને કોઈ કારણો કે ફરિયાદો ઉભી કરીને બદલી કરાવાઈ હોય શકે. એક કર્મચારીએ ત્રણ વર્ષ પહેલા એક જગ્યા પર જવા માટે પરિવાર સાથે રહેવા માટે બદલી માગી હતી પરંતુ બદલી ન થતાં એ કર્મચારી પોતાના કુટુંબ કબીલા બાળકોને લઈને રાજકોટ સેટ થઈ ગયા હતા. બાળકો અભ્યાસમાં જોડાઈ ગયા અને હવે માગ્યા મુજબના સ્થળે રહી રહીને બદલી થઈ જેથી આ કર્મચારીને પરિવારને ત્યાં લઈ જવો શકય નથી અપડાઉન કરવું પડે અથવા પોતે ત્યાં રહેવું પડે. આવી સ્થિતિ અન્યોની પણ થઈ હોવાની વાત છે. આવું કઈં ઓનપેપર તો નથી પરંતુ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બદલી થઈ છે તેવું સતાવાર રીતે માનવું પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech