જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ કામ પૂરજોશમાં

  • September 02, 2024 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં વરસાદની સ્થિતિમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડ પર પાણી ભરાઈ જવા તેમજ ઓવરટોપીંગના કારણે વાહન વ્યવહાર ખોવાઈ જવાના કિસ્સામાં ૩૬ જેટલા રોડ પર  યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી, રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ટીમે તાબડતોબ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં ભાવનગર જિલ્લાના ઉપરોક્ત ૩૬ રોડમાંથી ૧૪ રોડ પર આશરે ૧૨ કી.મી. ની  કામગીરી કરવામાં આવી છે. જ્યારે આજે રવિવારના દિવસે પણ બે રોડની મરામતની કામગીરી કરવામાં આવતા ૧૬ રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બાકીના ૨૦ રોડની આશરે ૧૦ કી.મી. ની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવશે.  વરસાદની સ્થિતિમાં ભાવનગર જિલ્લામાં રાજ્ય માર્ગ અને વિભાગના આશરે ૩૬ જેટલા રોડ પર ખાડા પડી જવા, રોડની સાઈડો ધોવાઈ જવી કે તૂટી જવા સહિતનું નુકશાન થયું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમ દિવસ રાત ખડેપગે રહીને આ રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે. હાલ વિવિધ રોડમાં રિપેરિંગ કામ તેજગતિએ ચાલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application