માધવપુર નેશનલ હાઇ-વે પર જામેલા રેતીના થર દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ

  • June 17, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધવપુર નેશનલ હાઇવે પર દરીયાના મોજાએ ફેંકેલી રેતી તંત્રએ દુર કરવાની કામગીરી હાથ ધરી છે.પોરબંદર જિલ્લામાં દરિયામાંથી પસાર થયેલા બિપરજોય વાવાઝોડાના તીવ્ર તેજ પવનોની લહેરને લીધે રાત્રે દરિયાની રેતી ઉડીને માધવપુર બીચ પાસે નેશનલ હાઇવે પર ઉડીને જામી જતા નેશનલ હાઈવે ઓથેરિટીએ આજે સવારે નેશનલ હાઈવે ખુલ્લો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શ‚ કરી હતી.
​​​​​​​
રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે વાવાઝોડાની અસર પછી  રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે પોરબંદર જિલ્લામાં પણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ દરિયાઈ પટ્ટી પરના નેશનલ હાઈવે પર આજે સવારે સર્વે કરતા માધવપુર બીચ પાસે હાઈવે પર દરિયાની ઉડીને આવેલી રેતી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે એકાદ કિલોમીટરમાં આ રીતે રેતી ઉડીને આવી હતી અને અંદાજે ૩ થી ૬ ઈંચનું થર જોવા મળ્યું હતું. આ રેતી સાફ કરવા માટે બે લોડર બે જેસીબી ત્રણ ડમ્પર અને એક ટ્રેકટર દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તો ખુલ્લો થઈ ગયો છે. અને વાહન વ્યવહાર પણ ચાલુ છે તેમ પણ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application