દ્વારકામાં જગતમંદિર આસપાસ રસ્તા પરના દબાણો દૂર કરો

  • July 10, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર અને ટેકસી એસોસીએશન મેદાનમાં ઉતર્યું: યાત્રિકોને પારવાર હાલાકીની એસપીને રજૂઆત

દ્વારકામાં જગતમંદિર આસપાસ રસ્તા પરના દબાણો દૂર કરવા કાર અને ટેકસી એસોસીએશને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.
દ્વારકા જગતમંદિરના પ્રવેશદ્વારોના માગોઁ પર ટ્રાફીકની ભયંકર સમસ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં વ્યવસાય કરતા અમુક ઇસમો માનીતા હોય તેથી મંદિર પરના મુખ્ય પ્રવેશદ્વાર, સુદામાસેતુ રોડ,બેઠક રોડ પર અત્યંત સાંકડા રસ્તાઓમાં પણ રસ્તાની બંને બાજુ માનીતાઓએ પોતાના પથારા પાથરી ચુકયા છે અને આ સમસ્યા વર્ષોથી છે. જગતમંદિરના મુખ્ય રસ્તાની આસપાસ દબાણના કારણે દર્શનાર્થીઓ તથા સ્થાનીક લોકોને અવર-જવર કરવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તા પરના દબાણો તથા ટ્રાફીક સમસ્યા બાબતે અગાઉના અધિકારીઓએ રસ્તાના દબાણ કે ગેરકાયદેસરની પ્રવૃત્તિ સામે ધ્યાન કેન્દ્રીત કરેલ નથી. સ્થાનીક અધિકારીઓ પાસે તો રજુઆત કરવાથી કાંઈ વળતું નથી. ત્યારે આ મુદે દ્વારકા કાર અને ટેકસી ઓનર્સ એસોસીએશને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. જેમાં દબાણોના કારણે યાત્રિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application