શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલી ધોબી સોસાયટીમાં રહેતા આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. જોકે મૃતકના પરિવારજનો દ્વારા મ્યુ. તંત્રએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સબબ આપેલી નોટીસથી ચિંતામાં મુકયેલા આધેડનું હદયરોગના હુમલાથી મૃત્યુ નીપજતું હોવાનો આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવા નનૈયો ભણી દીધો હતો ઘટનાના પગલે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા સંજયભાઈ દિહોરા નામના આધેડને આજે મોડી સાંજે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરતા તેના પરિવારજનોમાં રોકકળ મચી હતી.
સાથે મૃતક સંજયભાઈ દિહોરાના પરિવારજનો દ્વારા તાજેતરમાં મ્યુ. તંત્રએ ધોબીસોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામને લઈ સંજયભાઈ દિહોરા સહિતના રહીશોને નોટીસ આપવામાં આવેલી હોય જેને લઈ સંજયભાઈ ચિંતામાં મુકાયા હતા. અને છેલ્લા દિવસોથી માનસિક તણાવ અનુભવતા હોય જેમાં આજે મોડી સાંજે તેઓને છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત નીપજ્યાના આક્ષેપ સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધીસંજયભાઈના મૃતદેહનો સ્વીકાર ન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.ઘટનાના પગલે મોડી રાત્રે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech