રાજકોટ જિલ્લ ામાં ભુતિયા રેશનકાર્ડ નાબુદીની સાથે રેશન કાર્ડ ધારકોને મળતું અનાજ પુરવઠો અન્ય કોઈ હસ્તગત ન કરી જાય તે માટે રાજકોટ જિલ્લ ા પુરવઠા તત્રં દ્રારા હાથ ધરાયેલી કેવાયસી ઈ–કેવાયસી કામગીરી પુર્ણતાના આરે છે. અંદાજે ૯૦ ટકાથી વધુ રેશન કાર્ડનો કેવાયસી થઈ ચુકયાનો અને કેવાયસી કામગીરીમાં રાયમાં રાજકોટ ચોથા નંબરે પહોંચ્યાનું જાણવા મળી રહ્યું છે.
પુરવઠા તંત્રમાંથી મળેલી પ્રાથમીક વિગતો મુજબ રાજકોટ જિલ્લ ાના પડધરી, રાજકોટ સીટી ઉપરાંત અન્ય તાલુકાઓ લોધીકા, કોટડાસાંગાણી, જસદણ, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર તેમજ શહેરમાં ઝોનલ ૧, ૨, ૩, ૪ હેઠળ રેશનીંગ કાર્ડ ધારકોના ઈ–કેવાયસીની કામગીરી પુરવઠા વિભાગના અધિકારીઓથી લઈ કર્મચારીઓ દ્રારા હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં રેશનીંગ કાર્ડ સસ્તા અનાજનો પરવાનો ધરાવતા દુકાનદારો દ્રારા પણ કાર્ડ ધારકો પાસેથી આધાર કાર્ડ, ફોટો મેળવી થમ્બ ઈમ્પ્રેશન સાથે કેવાયસીની કામગીરી કરાઈ હતી. બાકી રહેલા કાર્ડ ધારકો માટે ઈ–કેવાયસીની કામગીરી તમામ તાલુકાઓમાં તેમજ રાજકોટમાં પુર્ણતાના આરે પહોંચી છે. ઈ–કેવાયસીને લઈને હવે જે કાર્ડ ધારકનો રેશનીંગ પુરવઠો હશે તે કાર્ડ ધારકને જ થમ્બ ઈમ્પ્રેશન અને પોતે રૂબરૂ આવશે તેને જ મળી શકશે. કેવાયસીને લઈને હવે પુરવઠાની ઘાલમેલ અટકશે તેવું તંત્રનું માનવું છે. રાયભરમાં એનએફએસ અને નોન એનએફએસ રેશનીંગ કાર્ડની ચાલેલી ઈ–કેવાયસી પ્રક્રિયામાં રાજકોટ જિલ્લ ા પુરવઠા તંત્રનું કામ ઝડપભેર થઈ રહ્યું હોવાથી રાયમાં રાજકોટ જિલ્લ ાનો ચોથો નંબર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech