જામનગર રણજીતનગર લેઉવા પટેલ સમાજ ખાતે રાષ્ટ્રિય સેવિકા સમિતિ પ્રવેશ વર્ગ સંપન્ન

  • May 30, 2024 11:18 AM 

રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવેશ વર્ગનું આયોજન જામનગર ખાતે દિનાંક 12-05-24 થી 26-05-24 દરમિયાન  લેઉવા પટેલ સમાજ રણજીતનગર ખાતે કરવામાં આવ્યું હતું. વર્ગનો સમાપન સમારોહ તા.26-05-24 ના રોજ આયોજવામાં આવ્યો હતો. અખિલ ભારતીય બોધ્ધિક પ્રમુખ મા.શરદ રેણુજીના અધ્યક્ષ સ્થાને આ સમારોહ સંપન્ન થયો હતો. વર્ગના સર્વિધિકારી હેતલબેન ભટ્ટ તથા સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહિકા નીતાબેન જાની હતાં. 15 દિવસ ચાલેલા આ પ્રવેશ વર્ગમાં સૌરાષ્ટ્ર પ્રાંતની 50 બહેનોએ નિયુધ્ધ, લેઝીમ,દંડ વિગેરેની તાલીમ લીધી હતી. આ સમાપન સમારોહમાં સૌરાષ્ટ્ર પ્રાંત કાર્ય કારિણી, પ્રાંત અને નગરનાં સંઘ પરિવાર તેમજ પૂર્વ કે.મંત્રી વસુબેન ત્રિવેદી તથા ક્ષેત્ર કાર્યવાહિકા રાજશ્રીબહેન જાનીની ઉપસ્થિતીમાં  સંપન્ન  થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application