શંકરટેકરીમાં સામાન્ય બાબતમાં ઢીકાપાટુનો માર માર્યાની બે સામે રાવ

  • November 02, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના શંકરટેકરી સિઘ્ધાર્થ કોલોનીમાં ગાડીની સીટની નુકશાનીનો ખર્ચ આપી દેવા છતા વિફરેલા બે પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગરના શંકરટેકરી સિઘ્ધાર્થ કોલોની શેરી નં. ૧૮માં રહેતા કુન્દનબેન કીરણભાઇ ભીટોલ (ઉ.વ.૩૮)નો છ વર્ષનો પુત્ર મોહિત આરોપીની મોટરસાયકલ પર દાંડીયાથી ટક ટક અવાજ કરતો હતો આથી આરોપી તેના ઘરે આવીને કહેતા ફરીયાદીના પતિએ સીટની નુકશાનીનો ખર્ચ આપી દીધી હતો.
ખર્ચ આપી દેવા છતા બંને શખ્સો ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી હતી આ અંગે સિઘ્ધાર્થ કોલોની શેરી નં. ૧૮માં રહેતા નરેશ બાવજી રાઠોડ અને સંજય દિનેશ રાઠોડ નામના બે શખ્સો સામે સીટી-સી ડીવીઝનમાં જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application