રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો આજથી પ્રારંભ કરાયો હતો. જેમાં ભાવનગર જિલ્લા પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત રેલી, ચિત્ર પ્રદર્શન, વાહન ચાલકોને જાગૃતતા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવશે.
ભાવનગર જિલ્લા પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નિમિતે ઉજવણીનો આજથી પ્રારંભ કરાયો હતો. જેમાં ભાવનગર શહેરના વિદ્યાનગર પોલીસ લાઈન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હાલ વધારા જતા વાહનો અને જેને લઇ થતા અકસ્માત અટકાવવા અંગે લોકોમાં જાગૃતતા લાવવા પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત આજથી વિદ્યાનગર પોલીસ લાઈન ખાતેથી ટ્રાફિક રેલીનું આયોજન કરાયું હતું. તેમજ એક માસ દરમિયાન રોડ-રસ્તા તેમજ હાઇવે પર વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે માહિતી આપવી, ટ્રાફિક સાઈનની સમજણ, ચિત્ર પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાવમાં આવશે. વિદ્યાનગર ખાતેથી પ્રારંભ થયેલા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા પોલીસ વડા ડૉ.હર્ષદ પટેલ, ઇન્ચાર્જ આરટીઓ ઇંદ્રજિત ટાંક સહિતના અધિકારીઓ, પોલીસ અને આરટીઓના કર્મચારીઓ તેમજ એનજીઓના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech