જામનગરમાં ઠેર-ઠેર રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી: ભૂદેવોએ યજ્ઞોપવિત ધારણ કરી

  • August 30, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે વિવિધ સ્થળોએ ભૂદેવોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી અને જ્ઞાતિભોજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નર્સિંગ સ્ટાફની બહેનોએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને રક્ષાબંધન કર્યું હતું. જ્યારે સંસ્કૃત પાઠશાળામાં પણ શાસ્ત્રોકત વિધિથી યજ્ઞોપવિત થયું હતું. શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાજનભાઈ જાની અને પરેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના બ્રાહ્મણોએ જનોઈ બદાવી હતી. ઉપરાંત જિલ્લા જેલમાં પણ કેદીઓને રક્ષા બાંધવામાં આવી હતી. એક ભાઈ અને બહેને થોડાં સમયથી જૂદી સેલ કસ્ટડીમાં હોય તેમણે પણ રક્ષાબંધ કર્યું હતું. ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અને ફાયર બ્રીગેડમાં પણ બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરી મીઠાઈ ખવડાવી હતી. આમ સમગ્ર હાલારમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application