આંધ્ર પ્રદેશમાં સોલાર સાઇટ ઉપર સંખ્યાબધં બોર કરાવી રાજકોટની હરિધામ બોરવેલ કંપનીને છ૫ લાખનો આપેલ ઓફ ચેક રિટર્ન થતા રાજકોટની કોર્ટમાં આંધ્રની કંપની સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના વાવડી મેઈન રોડ ઉપર પ્રદીપભાઈ નાનજીભાઈ પણસારા 'હરીધામ બોરવેલ'ના નામથી બોર કરવાનો વ્યવસાય કરે છે. દરમિયાન 'બાલાજી અવતાર કન્સટ્રકશન પ્રા.લી'ના ડિરેકટર ગોપાલલાલ જાટ અને જમખુ દેવી (રહે. રાજસ્થાન) એ તેમની સોલારની સાઈટ કર્નુલ, આંધ્ર પ્રદેશ, મુકામે ચાલતી હોય ત્યાં બોર કરવવાનું કહેતા ફરીયાદીની બોરવેલ ગાડીથી બોર કરવવાનો વર્કઓર્ડર આપ્યો હતો. તે ઓર્ડર મુજબનું કામ થયા બાદ તેના પેમેન્ટના .૫ લાખ ચુકવવા 'બાલાજી અવતાર કન્સટ્રકશન પા.લી' ની પેઢીનો ચેક આપ્યો હતો. જે ચેક બિન ચુકતે પરત ફર્યેા હતો. ચેક ફરતા આરોપીને રકમ ચુકવી પાઠવેલી નોટીસ બજી જવા છતાં રકમ ન ચુકવતા ફરીયાદી પેઢીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ તથા ૧૪૧ હેઠળ બાલાજી અવતાર કન્સટ્રકશન પ્રા.લીના ડિરેકટર ગોપાલ લાલ જાટ અને જમખુ દેવી સામે રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરી છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ અને ચાર્મી કે. પંડયા રોકાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech