રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ ૩૦૦૦ પેસેન્જર્સનું આવાગમન

  • February 17, 2024 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ લાઈટ ઉડાન ભરે તે પહેલા જ એક વર્ષમાં સાત લાખથી વધુ પેસેન્જર્સએ રાજકોટ થી ઉડાન ભરી છે જેમાં સૌથી વધારે મુંબઈ, દિલ્હીનો ટ્રાફિક નોંધાયો છે. વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના હંગામી ટર્મિનલ પરથી દરરોજ ૩૦૦૦ થી વધુ પેસેન્જર્સ ની અવર–જવર નોંધાઈ રહી છે. દિલ્હી મુંબઈ માટેની ફ્રિકવન્સી વધતા સમર શેડુલમાં આ બંને માટેની લાઈટ વધારવામાં આવશે તેવું એરપોર્ટ ઓથોરિટી એ જણાવ્યું હતું.

શિડુલ લાઈટ ઉપરાંત નવા એરપોર્ટ પર નોનસેડુલ એટલે કે ચાર્ટર પ્લેનની પણ અવરજવર વધી છે જેમાં તાજેતરમાં રાજકીય મહાનુભાવો ઉપરાંત રાજકોટમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચના લીધે ક્રિકેટરો અને લગ્ન પ્રસંગના લીધે ચાર્ટડ લાઇટની મોમેન્ટ વધી છે. આગામી દિવસોમાં પણ ધનાઢપતિ મુકેશ અંબાણીને ત્યાં જામનગર રીલાયન્સ ખાવડી ખાતે પ્રી વેડિંગનું ગ્રાન્ડ સેલિબ્રેશન હોવાથી અહીં આવનાર મહેમાનોના ચાર્ટર લાઈટ માટે પાકિગના સ્લોટ માગવામાં આવ્યા છે. આથી નોન શિડુલ લાઈટને માર્ચ મહિનામાં પણ વધુ અવરજવર નોંધાશે.

હીરાસર રાજકોટ ઇન્ટરનેશનલ પરથી હાલ નવ શેડુલ અને બે નોન શેડુલ લાઈટ દરરોજ ઉડાન ભરે છે જેમાં મુંબઈની પાંચ દિ,લ્હીની બે બેંગ્લોર અને ઇન્દોર ની એક લાઈટ દૈનિક ટેક ઓફ થાય છે યારે ગોવાની લાઈટ સાહમાં ત્રણ દિવસ મંગળવાર ગુવાર અને શનિવારે ઉડાન ભરી રહે છે તો પુણે માટે પણ મંગળવાર ગુવાર અને રવિવાર એમ ત્રણ દિવસ રાજકોટ થી ઉડાન ભરે છે. એરપોર્ટ ઓથોરિટી દ્રારા દર્શાવવામાં આવેલા પેસેન્જર ના આંકડામાં વર્ષ ૨૦૨૩ માં આખા વરસ દરમિયાન અન્ય રાયોમાંથી ૩,૮૮,૦૮૭ અને અહીંથી મુસાફરી કરી હોય તે ૨,૮૦,૮૦૬ કુલ આખા વર્ષ દરમિયાન ૬,૬૮,૮૯૩ પેસેન્જર્સ એ રાજકોટ એરપોર્ટ નો ઉપયોગ કર્યેા છે. યારે વર્ષ ૨૦૨૪ની શઆતમાં જ જાન્યુઆરી મહિનામાં ૯૦ હજાર પેસેન્જરો એ આવાગમન કયુ છે. હવે ટૂંક સમયમાં ઓથોરિટી દ્રારા સમર શેડુલ જાહેર કરવામાં આવશે જોકે આગામી સમયમાં વેકેશન શરૂ થતું હોવાથી એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થશે. આથી વેકેશનને અનુપ રાજકોટ એરપોર્ટ પરથી લાઈટની સંખ્યા પણ વધે તેવી શકયતા છે.

નવું અધ્યતન ટર્મિનલ બિલ્ડિંગનું કામ જેટ ગતિએ
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હાલમાં જર્મન ટેકનોલોજીથી બનેલા હંગામી ધોરણે ટર્મિનલ બિલ્ડીંગ પર મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવી છે બાજુની જગ્યામાં નવુ ટર્મિનલ બિલ્ડીંગ બની રહ્યું છે જેની કામગીરી જેટ ગતિએ ચાલી રહી છે. માર્ચ મહિનામાં નવું બિલ્ડીંગ શ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જો કે હજુ ઘણું બધું કામ બાકી હોવાથી માર્ચ મહિનાથી ટર્મિનલ શ થાય તેવી શકયતાઓ દેખાતી નથી પરંતુ વહેલી તકે કામ પૂર્ણ કરવા માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે.


જયાં સુધી એરક્રાટ માટે નવા પાકિગ નહીં મળે ત્યાં સુધી નવી ફલાઇટ નહીં

એરપોર્ટ પર અત્યારે મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ નું કામ ચાલુ હોવાથી વર્તમાન સમયમાં જે એરક્રાટ માટેના પાકિગ છે તે ૩૨૦ ટાઈપના એરકારફટ માટેના પાકિગ છે યારે બિલ્ડીંગ નું કામ પૂં થઈ જશે ત્યારે ૩૨૧ ટાઈપના એરક્રાટ પાર્ક થઈ શકશે આખી પાકિગની શોર્ટજ હોવાના લીધે હાલ ના સંજોગોમાં નવી લાઈટ શ કરવામાં આવી નથી. વિવિધ એસોસિએશન દ્રારા અને વેપારીઓ દ્રારા ઉદયપુર અને ગોવા માટેની ડેઇલી લાઈટ ઉપરાંત ચેન્નાઈ કોલકત્તા અને દેહરાદુન તેમજ ગોવાહટી માટેની ફલાઈટ શ કરવા માટે માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application