રાજકોટ TRP અગ્નિકાંડ: અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા

  • May 28, 2024 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ TRP અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. એફ.એસ.એલ.માંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા સગાઓનો સંપર્ક કરીને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે


અત્યાર સુધીમાં કુલ - 19 મૃતદેહ સ્વજનોને સોંપાયા

૧) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ

૨)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ

૩)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ

૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ

૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર

૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ

૭) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ

૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર

૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર

૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ

૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ

૧૨) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ

૧૩) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ

૧૪) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર 

૧૫) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ

૧૬) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ

૧૭) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ

૧૮) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ

૧૯) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ



રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યાં બાદ બ્રજેશ ઝા એ રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ACP ક્રાઇમ, ડીસીપી ક્રાઇમ, SP અને રાજકોટના તમામ PI મીટિંગમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના અંગે ચાલી રહેલ તપાસની દિશા, આરોપીઓની પુછપરછ, ફરાર આરોપીઓની શોધખોળને લઈને જરૂરી પુછપરછ કરવાની સાથે કમિશ્નરે દિશા નિર્દેશ આપ્યા હતા.  મૃતકોના સ્વજનનોને મૃતદેહ સોંપવાની જવાબદારી જે-તે વિસ્તારના PIને સોંપાવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application