રાજકોટ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું, અમદાવાદ, દ્વારકા, સોમનાથ સહિતના રૂટ પર બસો દોડતી રહી, ગત વર્ષ કરતા આવકમાં 14 લાખનો વધારો

  • May 27, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ રૂ. 20.45 કરોડની આવક થઈ છે. જેમાં કુલ 58000 ટ્રીપ દોડાવવામાં આવી છે. જેમાં પોણા બે માસમાં જ 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જે ગત વર્ષની તુલનાએ 30,000 વધૂ છે. જ્યારે ઉનાળુ વેકેશનની આવક જે ગત વર્ષે રૂ. 20.31 કરોડ હતી. જેમાં આ વર્ષે 14 લાખનો વધારો થયો છે. વેકેશન દરમિયાન રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકો હરવા ફરવા માટે સસ્તી અને સલામત ગણાતી એસટી બસની સવારી કરે છે. જેમાં  અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, સોમનાથ, ભાવનગર, ભુજ અને અમરેલી રૂટ પર મુસાફરોની વધુ જોવા મળે છે. ઉનાળુ વેકેશન રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક પણ રૂ. 60 લાખથી વધી રૂ.70 લાખ થઈ ગઈ છે. 


2025માં આવકમાં રૂ. 13 લાખથી વધુનો વધારો થયો

રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર વધુ રહેતી હોય છે. જેને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતુ. વર્ષ 2024ની તુલનામાં 2025માં આવકમાં રૂ. 13 લાખથી વધુનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 30,000 મુસાફરોએ વધુ મુસાફરી કરી છે. આ ઉપરાંત 58000 ટ્રીપોનું સંચાલન થયું છે. 


વર્ષ 2025માં 20.45 કરોડ જેટલી આવક થઈ 

રાજકોટથી અમદાવાદ, સુરત અને વડોદરા, અમરેલી, ભાવનગર તરફ ઉપરાંત દ્વારકા અને સોમનાથ તરફ એકસ્ટ્રા બસોનુ સંચાલન કરેલું છે. રાજકોટ એસટી ડિવિઝન ન અલગ અલગ ડેપો પરથી 60 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલી છે. ઉનાળુ વેકેશન દરમિયાન વર્ષ 2024માં એસટી વિભાગને કુલ આવક રૂ. 20.31 કરોડ જેટલી થઈ હતી તો તેની સામે વર્ષ 2025માં 20.45 કરોડ જેટલી આવક થઈ છે. 


દરરોજ 550 જેટલી બસો દોડાવવામાં આવે છે

રાજકોટ એસટી વિભાગ હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લો આવે છે. જ્યાં દરરોજ 550 જેટલી બસો દોડાવવામાં આવે છે. આ દરમિયાન રાજકોટ એસટી વિભાગ દ્વારા ઉનાળાના વેકેશનમાં 60 એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરવામાં આવેલ હતું. જેના થકી ગત વર્ષની તુલનામાં આ વર્ષે કમાણીમાં રૂ. 13.70 લાખનો વધારો થયો છે.


એસટી બસમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે

5 એપ્રિલથી 25 મે 2025 દરમિયાન ગત વર્ષે 33.67 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી જેની સામે આ વર્ષે 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. એટલે કે યાત્રીઓની સંખ્યામાં પણ રૂ. 30,000 નો વધારો થયો છે. હાલ ઉનાળાના વેકેશનમાં મુસાફરો સસ્તી અને સલામત સવારી ગણાતી એસટી બસની મુસાફરી કરી રહ્યા છે અને તેથી વેકેશનમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરથી જતી એસટી બસમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ​​​​​​​


રાજકોટ એસટી વિભાગની દૈનિક આવકમાં રૂ. 10 લાખનો વધારો 

રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક સરેરાશ રૂ. 60 લાખની આસપાસ હોય છે. જે હાલમાં 68 થી 70 લાખ રૂપિયા આવક થવા પામે છે. જે રેગ્યુલર દિવસ કરતા 8થી 10 લાખ રૂપિયા વધારે છે. 


એક્સ્ટ્રા સંચાલન થકી એસટી વિભાગને આવક 

વર્ષ - આવક - મુસાફરોની સંખ્યા 
2024 - રૂ.13.23 લાખ - 12389
2025- રૂ. 19.62 લાખ - 19624



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News