રાજકોટ : મનપાના પદાધિકારીઓ CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા, રામનાથ મંદિર પરિસરના વિકાસ માટે રૂ.50 કરોડની કરાઈ માંગણી

  • March 25, 2023 11:04 AM 

રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે ગાંધીનગર પહોંચ્યા હતા. શહેરના પડતર પ્રશ્ન અને સાથે જ અલગઅલગ વિકાસના કામો અંગેની રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હતી.


રાજકોટ મનપાના મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, ડે.મેયર કંચનબેન સિદ્ધપરા, શાસક પક્ષના નેતા વિનુ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલને મળ્યા હતા. શહેરની વિકાસની મુખ્ય યોજના આજી રિવરફ્રન્ટ અને રામનાથ મંદિર પરિસર વિકાસ યોજના અંગે અલગ ભંડોળની માંગણી કરવામાં આવી હતી. રામનાથ પરિસરના વિકાસ માટે વધુ રૂ.50 કરોડની અલગથી માંગ કરવામાં આવી તો સાથે જ વાવડી 14, મવડી 21 અને માધાપર  11 ટી.પી.ની લાંબા સમયથી મંજૂરી મળી નહિ હોવાથી તેની પણ રજૂઆતો કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application