ગુજરાત સરકાર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવનાર ૪૦૦ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ પૈકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૪૫ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ સ્થપાશે. દરમિયાન રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ અંગેની દરખાસ્તને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.
વિશેષમાં આ અંગે મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીનો મહતમ ઉપયોગ કરવા માટે ૪૦૦ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવા માટે ઇમ્પેલમેન્ટિંગ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આ કુલ ૪૦૦ મેગાવોટ કેપેસિટી અન્વયે ૧૫૦ મેગાવોટ કેપેસિટી ૧૫૭ નગરપાલિકાઓને તેમજ ૨૫૦ મેગાવોટ કેપેસિટી કુલ આઠ મહાનગરપાલિકાઓને ફાળવવામાં આવેલ છે.જે પૈકી ૪૫ મેગાવોટ કેપેસિટી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે.ઉપરોકત ૪૦૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટ માટે જીયુડીસીએલ દ્વારા મેં.જર્મી-ગાંધીનગરને ડેટા કલેક્શન અને ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરેલ છે. સબબ ૪૦૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટ અન્વયે આ કામે સમગ્ર પ્રોજેક્ટનું ફંડિંગ માટે કુલ ખર્ચ પૈકી રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પચાસ-પચાસ ટકાનાં પ્રમાણમાં ખર્ચ ભોગવશે.
સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાના ફાયદા
૧.મહાપાલિકાને ઓછી કિંમતમાં વીજળી મળશે
૨.સૌર ઉર્જાના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થશે
૩.પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભરતા ઘટશે
૪.પર્યાવરણ અનુકૂળ ઉર્જાનું ઉત્પાદન થશે
૫.રાજ્ય સરકાર અને યુએલબીના સમાન ફંડિંગથી નાણાકીય બોજ ઘટશે.
૬.મહાપાલિકાની કિંમતી જમીનનો બીજા કામમાં ઉપયોગ કરી શકાશે.
૭. સેન્ટ્રલાઈઝ પ્રોજેક્ટ કરવામાં આવતો હોય મેન્ટેનન્સ માટેના ખર્ચમાં પણ ઘટાડો થશે.
૮.સમગ્ર પ્રોજેક્ટનું કેપટીવ જનરેશન એકજ જગ્યાએ થતું હોય તેનું સેટઓફ વિજ વપરાશ સામે સરળતાથી કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech