રાજકોટ: ભગવતીપરામાં બ્રિજ નીચે બે યુવક પર છરી વડે જીવલેણ હુમલો, પોલીસે હુમલો કરનાર બે શખસની કરી અટકાયત

  • January 11, 2023 04:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં બે યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. બંને યુવકને છરીના ઘા લાગતા ગંભીર ઈજા પહોચી હતી. હાલ તો ઈજગ્રસ્ત બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બી ડિવીઝન પોલીસે બે શખસની અટકાયત કરી છે.


રાજકોટના જુના મોરબી રોડ પર ભગવતીપરાના બ્રિજ નીચે બે યુવાનો પર છરીથી જીવલેણ હુમલો કરાયો છે. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. પોપટપરાના હરપાલસિંહ બહાદુરસિંહ પરમાર(ઉ.વ.35) અને ભગવતીપરાના અસલ્મ હનીફભાઈ બેલીમ(ઉ.વ.28)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મહાદેવ અને સાજન નામના શખ્સે હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગત મળી છે. 


હત્યા પ્રયાસના આ ગુનાની વિગત એવી છે કે, નવેક વાગ્યા આસપાસ હરપાલસિંહ અને અસલ્મ બન્ને ભગવતીપરા બ્રિજ નીચે ઉભા હતા ત્યારે જૂની અદાવતનો ખાર રાખી મહાદેવ અને તેની સાથે સાજન બન્ને આવ્યા હતા અને છરી કાઢી હરપાલસિંહ અને અસલ્મ પર તૂટી પડ્યા હતા. જેથી બન્નેને ઇજા થઇ છે. છરીના ઘા લાગ્યા છે. જોકે અસલ્મની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application