લોધિકા તારીખ ૨૭ રાજકોટ એસટી તત્રં દ્રારા લોધિકા પંથકના નિયમિત એસટી બસ ટોને અવારનવાર બધં કરી દેવાય છે પરિણામે નિયમિત અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિધાર્થીઓ તેમજ મુસાફર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે.
આ અંગે લોધીકા શિવસેનાના પ્રમુખ ગૌરવ હંસોરા તેમજ ઉપ–પ્રમુખ અશોક વસોયાએ રાજકોટ એસટી વિભાગીય નિયામકને લખેલ પત્રમાં જણાવ્યા મુજબ લોધિકા તાલુકા મથકનું ગામ છે અહીં દરરોજ વ્યાપક પ્રમાણમાં મુસાફરોની અવર–જવર રહે છે આ ઉપરાંત લોધિકા સહિત ચાંદલી કોઠા પીપળીયા જેટકુબા સાંગણવા ચીભડા હરીપર સહિતના ગામોના વિધાર્થીઓ નિયમિત અભ્યાસ અર્થે અપડાઉન કરે છે ત્યારે જાણે લોધીકા તાલુકા પ્રત્યે એસટી તંત્રને ઓરમાયું વર્તન હોય તેમ આ પંથકના ટો અવારનવાર બધં કરી દેવામાં આવે છે હાલ તારીખ ૨૫ ૧૨ તેમજ તારીખ ૨૬ ૧૨ એમ બે દિવસ રાજકોટ ચાંદલી વાયા લોધીકા એસટી ટ બધં કરી દેવામાં આવેલ છે આ બસ ટમાં રાજકોટ થી અભ્યાસ પૂર્ણ કરી વિધાર્થીઓ પોતાના ગામ જવા આ બસમાં મુસાફરી કરે છે આ બસ ટ અવારનવાર કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર કલમના એક ઝાટકે બધં કરી દેવામાં આવે છે આ ઉપરાંત રાજકોટ હડમડીયા વાયા ચીભડા ટ તથા રાજકોટ ખરેડી વાયા લોધીકા રીબડા ટને પણ ઘણી વખત બધં કરી દેવાતા મુસાફરો વિધાર્થીઓને ના છૂટકે પ્રાઇવેટ વાહનોનો આશરો લેવો પડે છે આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કઈં ફેર પડતો નથી એસટીના ઉચ્ચ સત્તાવાળાઓ હવે યોગ્ય કરે એવી મુસાફર જનતાની માંગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech