રાજકોટઃ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતિની યોજાઈ બેઠક

  • May 08, 2023 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિઓ અને તેમને ચૂકવવામાં આવેલી સહાયની માહિતી રજૂ કરવામાં આવી હતી. જાન્યુઆરીથી માર્ચ -૨૦૨૩ દરમિયાન કુલ ૧૦ બનાવો બન્યા હતા. જેમાં રૂપિયા સાત લાખની સહાય ચુકવવામાં આવી હતી. તેમજ એકટ્રોસીટી એક્ટ હેઠળ બનાવોના ૧૭ ચાર્જ સીટ પૈકી ૧૪ કોર્ટ કેસ ચાલી રહ્યા છે. આ બેઠકનું સંચાલન નાયબ નિયામક, અનુસૂચિત જાતિના અધિકારી સી.એ મિશ્રાએ કર્યું હતું.


આ બેઠકમાં સમિતિના સભ્ય જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડી.એસ.પી હીંગોળદાન રત્નુ, સિવિલ સર્જન ડો. જી.કે. નથવાણી, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ  કે.જી.રૂપારેલીયા, અમૃતભાઈ મકવાણા, બાબુભાઇ વિઝુંડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application