છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર્ર કચ્છમાંથી તો જાણે વરસાદ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હોય તેવું ચિત્ર છે. રાયના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટા પડી રહ્યા છે. પરંતુ ધોધમાર વરસાદ પડતો નથી. વરસાદ જતો પણ નથી અને આવતો પણ નથી તેવા આ વાતાવરણમાં રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે. ખેતરમાં ઊભેલા પાકને તડકો મળતો નથી અને સારો વરસાદ પણ પડતો નથી. આ બંને પરિસ્થિતિના કારણે ધાબડિયું વાતાવરણ હોવાથી પાકમાં જીવાત સહિતના પ્રશ્નો ઊભા થયા છે. લોકોમાં પણ રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાયના ૫૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ કયાંય પણ પૂરો એક ઈંચ પણ પાણી પડું નથી. સમગ્ર રાયમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના માતરમાં ૧૪ મીલીમીટર નોંધાયો છે.
કચ્છમાં તો કયાંય વરસાદનું ટીપું પણ પડું નથી. સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં પાંચ મિલીમીટર પડો છે. સુત્રાપાડા ગીર ગઢડા કેશોદ જુનાગઢ જિલ્લામાં ભેસાણ વંથલી માળીયા અમરેલી જિલ્લામાં ખાંભા દ્રારકા માં સામાન્ય ઝાપટા પડા છે. આજે સવારે છ થી આઠ વાગ્યાના પ્રથમ બે કલાકમાં રાયના માત્ર ૧૦ તાલુકામાં વરસાદ થયો છે અને તેમાં પણ સામાન્ય ઝાપટાં જ છે. સૌરાષ્ટ્ર્રમાં એક માત્ર મોરબીમાં આજે સવારે ઝાપટું પડું છે.
દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધીની અરબી સમુદ્રની દરિયાઈ પટ્ટીમાં ઓફ શોર ટ્રફ છે. તે સિવાયની કોઈ સિસ્ટમ બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં જોવા મળતી નથી. અરબી સમુદ્રમાં તો પ્રતિ કલાકના ૪૫ થી ૫૫ કીલોમીટરની ઝડપે તોફાની પવન ફુકાતો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઝારખંડમાં એક સાયકલોનિક સકર્યુલેશન છે અને તે સાંજ સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શકયતા છે. જોકે આ સિસ્ટમનો લાભ ગુજરાત સુધી લંબાય તેવી કોઈ શકયતા દેખાતી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech