ગુજરાતમાં 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગર અને બોટાદ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ગઢડામાં 13.9 ઈંચ, પાલીતાણામાં 11.9 ઈંચ, સિહોરમાં 11.6 ઈંચ, બોટાદમાં 11 ઈંચ, જેસરમાં 10.7 ઈંચ, ઉમરાળામાં 10.4 ઈંચ, સાવરકુંડલામાં 10 ઈંચ, મહુવામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
પાલિતાણા-જેસર-સિહોરમાં 11 ઈંચ
ગઈકાલે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અમદાવાદ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ગ્રામ્ય પંથકમાં નદીઓ ગાંડીતૂર બની હતી. મહુવાનું તલગાજરડા સંપર્કવિહોણું બન્યું હતું. ગામમાં કેડ સમા પાણી ભરાયાં હતા. તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાલિતાણા-જેસર-સિહોરમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.
અમરેલીમાં ભારે વરસાદ પડતાં ઠેબી ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેને લઇ નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
ધાતરવડી નદીમાં ફસાયેલા 5 લોકોને બચાવ્યા
ધાતરવડી ડેમનું પાણી નદીમાં આવી જતા 5 લોકો ફસાયા હતા. જેથી રાજુલા પોલીસની ટીમને જાણ થતાં જ પાલિકાની ટીમ સાથે મળી ધસમસતા પાણીના પ્રવાહમાથી દોરડા બાંધી તમામને બચાવ્યાં હતા.
અમદાવાદમાં કરંટ લાગતા એકનું મોત
અમદાવાદ શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં ઘી કાંટા નજીક પોળ પાસે 20 વર્ષીય યુવકને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રીક પોલનો કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું છે. ઈલેક્ટ્રીક પોલનો વાયર ખુલ્લો હોવાના કારણે પાણીમાં યુવકને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની વીજ વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેજરીવાલ રાજકોટમાં: વિજય ભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપશે
June 17, 2025 02:57 PMઆજે સવારથી બોટાદ, ઉમરાળા ચુડામાં વધુ 3થી 5 ઈંચ સહિત ૪૦ તાલુકામાં મેઘવર્ષા
June 17, 2025 02:52 PMપૂર્વ CM વિજયભાઇ રૂપાણીની અણધારી વિદાયથી મ્યુનિ.સ્ટાફ ગમગીન; મહાપાલિકા કચેરી ખાલીખમ
June 17, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech