આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના 84 તાલુકામાં અડધો ઇંચથી 14 ઈંચ સુધીની મેઘકૃપા વરસ્યા બાદ પણ સવારથી મેઘવર્ષા ચાલુ રહી છે, જેમાં બપોર સુધીમાં બોટાદના બરવાળા પંથકમાં પાંચ ઇંચ, રાણપુર, બોટાદ શહેર અને ગઢડા પંથકમાં દોઢથી અઢી ઇંચ વરસાદ વરસી ગયો છે.
સુરેન્દ્રનગરના ચુડા, મુળી, વઢવાણ પંથકમાં બે થી ત્રણ ઇંચ, ચોટીલા, સાયલા, થાનગઢ પંથકમાં એકથી દોઢ ઇંચ, જ્યારે ભાવનગરના ઉમરાળામાં સાડા ચાર ઇંચ, વલભીપુર, સિહોરમાં સવા બેથી ત્રણ ઇંચ, ભાવનગરમાં સવા ઈંચ સહિત અન્ય વિસ્તારોમાં ઝાપટા ચાલુ રહ્યા છે. રાજકોટ શહેરમાં પોણા બે ઇંચ, જ્યારે લોધિકા, ઉપલેટા, કોટડા સાંગાણી, જસદણ, વિછીયા પંથકમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં માંગરોળ, માળીયાહાટીના એકથી સવા ઇંચ, મોરબીના હળવદમાં પોણો ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં એક ઇંચ, જ્યારે કેશોદ, માણાવદર, વંથલી, ભાણવડ, દ્વારકા, લીલીયા, બાબરા, વાંકાનેર, ભુજ, પોરબંદર, વેરાવળ પાટણ, તાલાલા સહિતના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેની મેઘસવારી ચાલુ રહી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech