ગીર સોમનાથ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધી માફી માગો કાર્યક્રમ યોજાયો

  • February 10, 2024 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઓબીસી  અંગે અશોભનીય નિવેદન આપ્યું છે. તેના વિરોધ માટે બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ મયંકભાઇ નાયકની સૂચના અનુસાર રાહુલ ગાંધીના પૂતળાં દહન તેમજ રાહુલ ગાંધી માફી માંગે એવો કાર્યક્રમ ગીર સોમનાથના જિલ્લ ાના મુખ્ય મથક વેરાવળના ટાવર ચોક ખાતે રાખવામાં આવેલ હતો. 
આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય પ્રભારી વિશાલભાઇ ટંડેલ, જીલ્લ ા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લ ા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો (ડો) જીવાભાઈ વાળા, મહામંત્રી ડી કે નિમાવત, પ્રદેશ કારોબારી સભ્ય ભીમભાઈ વાયલુ, અરવિંદભાઇ ધારેચા, જિલ્લ ા ભાજપ મંત્રી હરિભાઇ વાળા, મહિલા મોરચાના પ્રમુખ ડો નિશાબેન ગોહિલ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ જયેશભાઇ પંડ્યા, અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી કાંતિભાઈ ચૂડાસમા, શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગજેન્દ્ર ગોસ્વામી, બક્ષીપંચ મોરચાના હોદેદારો, સંગઠનના હોદેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ અને બક્ષીપંચ સમાજના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને મહેન્દ્રભાઈ પીઠીયા અને વિશાલભાઇ ટંડિલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું જયારે પ્રો જીવાભાઈ વાળા એ શરમ કરો શરમ કરો રાહુલ ગાંધી શરમ કરો, મોદી સાહેબનું અપમાન ઓબીસી સમાજનું અપમાન છે, જેવા સૂત્રોચાર કર્યા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application