હાલ સમગ્ર જિલ્લા સાથે રાજયમાં મેળાઓની સિઝન ભરપૂર ચાલી રહી છે. પરિવારના રજા માણવા અને ફરવા ઉપડી જતા હોય છે. અજાણી જગ્યાએ ફરવા જતા હોય ત્યારે માતા-પિતાએ બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિ તો ઘણી વાર અકસ્માત થતા હોય એવા કિસ્સાઓ બનતા હોય છે. આવો જ એક કરુણ બનાવ સિહોર સણોસરા નજીક બન્યો છે. સિહોરના સાંઢીડા ખાતે અકસ્માતમાં બાળકનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સિહોરના સણોસરા નજીક આવેલ સાંઢીડા મહાદેવ ખાતે લોકમેળો યોજાય છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુ પંથકના લોકો મેળો કરવા આવે છે. ત્યારે મહુવા ના કલસાર ગામના હાલ સણોસરા લોકભારતી માં મજૂરી કરતા બુધાભાઇ કંટારીયા પોતાના પરિવાર સાથે મેળામાં ગયા હતા તે દરમિયાન નજીકમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરના ગેટ પાસે બાળક ઉત્તમ બુધાભાઇ કંટારીયા (ઉ.વ.૮) ઉભો હતો ત્યારે અજાણ્યા બાઇક સવારે રોડ પર બાળકને અડફેટે લેતા ઉત્તમ બુધાભાઇ કંટારીયાને ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફત સિહોર ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા મજૂર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ અંગે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech