રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન પણ ચાલી રહ્યા છે. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ છે ત્યારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ પણ અબજોપતિ ઉદ્યોગપતિઓમાં સામેલ છે.
રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ મુકેશ અંબાણીના મિત્ર
વિરેન મર્ચન્ટ વિશે બહુ સમાચારો કે તસવીરો સામે આવતી નથી પરંતુ હવે જ્યારે તેમની પુત્રી અંબાણી પરિવારની સૌથી નાની વહુ બનવા જઈ રહી છે. ત્યારે લોકો તેમના વિશે જાણવા માટે ઉત્સુક છે. વિરેન મર્ચન્ટ તેની પુત્રી રાધિકા સાથે તેના જૂના મિત્ર મુકેશ અંબાણીના પરિવારમાં લગ્ન કરી રહ્યો છે પરંતુ તેને સમાચારમાં રહેવાનું વધુ પસંદ નથી અને તે લો-પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે.
રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટની નેટવર્થ
રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ ભારતના મોટા અબજોપતિ બિઝનેસમેન છે. વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ છે. આ સિવાય ફોર્બ્સ અનુસાર વીરેન મર્ચન્ટ ઘણી મોટી કંપનીઓના ડાયરેક્ટર પણ છે. તેમાં એન્કોર બિઝનેસ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ, એન્કોર નેચરલ પોલિમર પ્રાઇવેટ લિમિટેડ, ZYG ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ, સાઇ દર્શન બિઝનેસ સેન્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એન્કોર પોલિફ્રેક પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, વિરેન મર્ચન્ટની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયા છે.
રાધિકા મર્ચન્ટની માતા પણ કંપનીઓમાં ડિરેક્ટર
વિરેન મર્ચન્ટે તેમની પત્ની શૈલા મર્ચન્ટ સાથે મળીને 2002માં એન્કોર હેલ્થકેરની સ્થાપના કરી હતી. ફોર્બ્સ અનુસાર, રાધિકા મર્ચન્ટની માતા શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર સિવાય ઘણી કંપનીઓમાં ડિરેક્ટર છે. તેમાં અથર્વ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ, હવેલી ટ્રેડર્સ પ્રાઈવેટ લિમિટેડ અને સ્વસ્તિક એક્ઝિમ પ્રાઈવેટ લિમિટેડના નામ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, શૈલા મર્ચન્ટની નેટવર્થ પણ 10 કરોડ રૂપિયાથી વધુ છે.
એન્કોરમાં રાધિકા મર્ચન્ટ પણ ડિરેક્ટર
રાધિકા મર્ચન્ટ તેના પિતા વિરેન મર્ચન્ટની કંપની એન્કોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ છે. Encore Healthcare એ ફાર્મા ઉદ્યોગમાં વૈશ્વિક કોન્ટ્રાક્ટ ઉત્પાદક છે અને આ કંપની ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નથી.
રાધિકા અને અનંત અંબાણીના લગ્નનું શેડ્યૂલ
12 જુલાઈના રોજ અનંત અંબાણી મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. 13મી જુલાઈના રોજ નવદંપતીઓ માટે શુભ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા ભવ્ય લગ્ન સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech