દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગોએ શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપી

  • July 14, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ભાટીયાની ગુજરાત સરકાર શ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા એપ્રિલ - મેં પરીક્ષા સત્રમાં કલાગુરુશ્રી પરસોતમભાઈ કછેટીયાના માર્ગદર્શન હેઠળ પાવનભૂમિ દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ સરકાર માન્ય ડિગ્રી કોર્સ શાસ્ત્રીય સંગીતની ગાયન, તબલા હાર્મોનિયમ વગેરે વિષયની પ્રવેશિકા પ્રથમની પરીક્ષા આપી હતી મનોદિવ્યાંગ હોવ છતાં સફળતાપૂર્વક સારા ગુણ સાથે ઉર્તીણ્ થયાં યશસ્વી પરિણામ મેળવવા બદલ તમામ સંગીત વિદ્યાર્થીઓને ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application