તહેવારોની સિઝન પહેલા RBIની ભેટ: લોનના હપ્તા નહીં વધે: રેપો રેટ 6.50 ટકા પર સ્થિર

  • October 06, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


RBI એ વ્યાજદર સ્થિર રાખી રેપો રેટમાં ફરી એકવાર ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.


દેશની કેન્દ્રીય બેંક RBI દ્વારા દર બે મહિને નાણાકીય નીતિ સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલે છે. આ બેઠકની અધ્યક્ષતા આરબીઆઈ ગવર્નર કરે છે. આરબીઆઈની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 4 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આ બેઠકનો નિર્ણય આજે આરબીઆઈ ગવર્નરે આપ્યો છે. તહેવારોની સિઝનમાં દરેકની નજર આ નિર્ણયો પર હોય છે. ત્યારે RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે આ વખતે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એટલે કે રેપો રેટ 6.5 ટકા પર રહેશે ઘણા નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી હતી કે મોંઘવારી અને અન્ય વૈશ્વિક પરિબળોને કારણે રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.


જો આપણે રેપો રેટને સરળ ભાષામાં સમજીએ તો તે સેન્ટ્રલ બેંક દ્વારા દેશની બાકીની બેંકોને આપવામાં આવતી લોનનો દર છે. બેંકો આ દરે ગ્રાહકોને લોનની સુવિધા પણ આપે છે. જો સેન્ટ્રલ બેંક રેપો રેટ ઘટાડવાનો નિર્ણય કરે છે, તો તેનો અર્થ એ છે કે હવે બેંક ગ્રાહકોને ઓછા વ્યાજ દરે હોમ લોન, વાહનો અને અન્ય લોન આપે છે.


ઓગસ્ટ 2023 ના રોજ મળેલી રિઝર્વ બેન્કની ત્રિદિવસીય મિટિંગમાં રેપો રેટ 6.50 ટકા રાખવામાં આવ્યો હતો. આ સમયે SDF દર 6.25 ટકા , MSF દર અને બેંક દર 6.75 ટકા છે તો  રિવર્સ રેપો રેટ 3.35 ટકા નક્કી કરાયો હતો. આ ઉપરાંત  CRR અને SLR અનુક્રમે 4.50 ટકા અને 18 ટકા જાહેર કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application