ધોકા, પાઇપનો છૂટથી ઉપયોગ થયો: સામસામા પક્ષે કુલ આઠ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકામાં રહેતા કરસનભાઈ વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ કરમુર નામના 45 વર્ષના આહિર યુવાન તેમની સાથે સાહેદ નિલેશભાઈને સાથે રાખીને પોતાના ખેતરમાં શેઢે સાફ-સફાઈનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેતા જેસા દેવરખીભાઈ કરમુર, રમેશ દેવરખીભાઈ, રોહિત પીઠાભાઈ, પુનિત પીઠાભાઈ, ભીમા દેવરખી અને રાજેશ રમેશભાઈ નામના છ શખ્સો અહીં આવ્યા હતા અને ફરિયાદી કરસનભાઈ તથા સાહેદ નિલેશભાઈને "પોતાના વાડીમાં આ રસ્તેથી અવર-જવર નહીં કરવાની" તેમ કહીને લાકડાના ધોકા, લોખંડનો પાઇપ, નાના હાથાવાળું ધારીયું, કુહાડા, જેવા હથિયારો વડે હુમલો કરી અને ફરિયાદી કરસનભાઈની આંગળી તોડી નાખી હતી.
આમ, તમામ છ આરોપીઓએ એકસંપ કરી, ફરિયાદી તથા સાહેદને બેફામ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 326, 325, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ઝાલા દ્વારા હાથ વધારવામાં આવી છે.
સામા પક્ષે રોહિતભાઈ પીઠાભાઈ કરમુર (ઉ.વ. 24, રહે. હરીપર રોડ) એ કરસનભાઈ વેજાભાઈ કરમુર તથા તેના પુત્ર નિલેશ સામે નોંધાવેલી ફરિયાદમાં જાહેર થયું છે કે ફરિયાદી રોહિત તેમજ તેમના કુટુંબીજનોને આરોપી પરિવાર સાથે વાડીમાં ચાલવાના રસ્તા બાબતે વિવાદ ચાલતો હોય, તે અંગેનું મનદુઃખ રાખીને ફરિયાદી તથા તેના કાકા જેસાભાઈ કરમુર પોતાની વાડીએ ટ્રેક્ટર વડે જમીન ખેડી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ લાકડી વડે હુમલો કરી, અને કાકા-ભત્રીજાને નાની-મોટી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech