રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ્ને તેમની જીત પર અભિનંદન આપતા કહ્યું કે તેઓ યૂક્રેન સંકટના યોગ્ય ઉકેલ માટે ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છે. પુતિને કહ્યું કે તેઓ એ વાતથી પ્રભાવિત છે કે આખરે કેવી રીતે ટ્રમ્પે તેમની હત્યાના પ્રયાસો બાદ પોતાને સંભાળ્યા અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અસરકારક રીતે હરાવ્યા. પુતિને ટ્રમ્પ્ને બહાદુર માણસ ગણાવ્યા.
જોકે, રશિયાના સોચીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પુતિને એમ પણ કહ્યું કે યુદ્ધ ખતમ કરવા માટે રશિયા પર કોઈપણ પ્રકારનું દબાણ કામ કરશે નહીં. જો કે, તે સંકટના ઉકેલ માટે વાતચીત માટે તૈયાર છે. વાતચીત એવી હોય કે તે બંને પક્ષોના હિતમાં હોય. ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આ નિવેદન રાષ્ટ્રપતિ પદમાં ટ્રમ્પ્ની જીતને લઈને ક્રેમલિનના નિવેદનના લાંબા સમય બાદ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા યૂક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો તંગ છે. દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ્ની જીત બાદ રશિયાએ સાવચેતીભર્યું વલણ અપ્નાવ્યું છે. ક્રેમલિન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ટ્રમ્પ્ની જીત બાદ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે 30 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલ યૂક્રેન સાથે યુદ્ધ સમાપ્ત થાય છે કે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન યૂક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે કેટલાક મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. પરંતુ એ તો સમય જ બતાવશે કે આ નિવેદનો પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech