ભાવનગરમાં સરદાર પટેલ શિક્ષણ સંસ્થા સ્કૂલ ખાતે નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવરની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે નાયબવન સંરક્ષક સાદીક મુંજાવર એ જણાવ્યું હતું કે વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોની ભાગીદારી વધે તે હેતુથી દર વર્ષે ૧૦મી ઓગસ્ટના રોજ વર્ષ ૨૦૧૩થી વિશ્વ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ વર્ષ એ ભાવનગર જિલ્લામાં ચાર લાખ જેટલા બાળકો તેમજ ૧૬૦૦થી વધારે શાળાઓ ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોના લીધે બૃહદગીર તેમજ ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આ તકે વિશ્વ સિંહ દિવસના ભાવનગર જિલ્લાના કો ઓર્ડીનેટર તખુભા સાંડસુર એ સિંહના ત્રણ ગુણો અભય, અસ્તેય અને અસંગ્યપણું વિશે જણાવીને એશિયાટીક લાયનોના ગુણધર્મો જણાવ્યા હતા.કાર્યક્રમમાં ’સિંહ બચાવો’ વિશે ગાઢ સંદેશ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સરકારની યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિની દ્વારા ’ સાવજ ગરજે ’ કવિતા આબેહૂબ છટા સાથે વર્ણન કરવામાં આવ્યું હતું
આ તકે વન વિભાગના એ.સી.એફ. બી. આર. સોલંકી આર.એફ.ઓ. દિવ્યરાજ સિંહ સરવૈયા, ફોરેસ્ટર ક્રિપાલસિંહ ગોહિલ, જિલ્લા માનદ વાઈલ્ડ લાઈફ વોર્ડન ડો. ઇન્દ્રભાઈ ગઢવી, શાળાના સેક્રેટરી જે.પી. મૈયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech