પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. આ કપલે વેલેન્ટાઈન ડે પર પોતાના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. પ્રેમના આ દિવસે એકબીજાને શુભેચ્છા પાઠવતા કપલે તેમના વેડિંગ ડેટ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેને જણાવ્યું છે કે તે કયા દિવસે લગ્ન કરશે.બન્ને આવતા મહીને લગ્ન કરશે.
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. તેમના લગ્ન સ્થળ અને ગેસ્ટ લિસ્ટને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે. હવે તેમના લગ્નની તારીખને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર આ કપલે તેમના લગ્નની તારીખ જાહેર કરી છે. તેને કહ્યું છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે. આ કપલે પોતાની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આને લઈને હિન્ટ આપી છે.
લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ હવે બોલિવુડના ન્યૂ મેરિડ કપલ બનવા જઈ રહ્યાં છે. કૃતિએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં બંનેએ એકબીજાનો હાથ પકડ્યો છે અને કેપ્શન લખ્યું છે 'ચાલો માર્ચ કરીએ.' પરંતુ તેને કંઈ સ્પષ્ટ કર્યું ન હતું. પરંતુ, કપલના ફેન્સ હવે તેમના કેપ્શન પરથી અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ માર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યું છે.
આ પોસ્ટ પર બોબી દેઓલે પ્રેમ વરસાવ્યો છે. સાથે જ આ કપલના ઘણા ફેન્સ પણ તેમને અભિનંદન આપી રહ્યા છે. અને એવી અટકળો છે કે તેઓ માર્ચમાં લગ્ન કરશે. લોકોમાં તેમના લગ્નને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પુલકિત અને કૃતિ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓએ થોડા સમય પહેલા જ તેમના સંબંધોને જાહેરમાં ઓફિશિયલ કર્યા હતા. આ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો શેર કરતા જોવા મળે છે.
પુલકિત સમ્રાટના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે સલમાન ખાનની બહેન સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા રોહિરા સાથે તેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. લગ્નના એક વર્ષ બાદ જ બંનેના છૂટાછેડા થઈ ગયા. ઘણા વર્ષો પછી પુલકિતના જીવનમાં કૃતિ આવી. બંનેએ 2019માં પાગલપંતી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. અહીંથી જ બંનેની લવસ્ટોરી શરુ થઈ અને ડેટિંગ કરવા લાગ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech