કાલાવડ કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ અભિયાન

  • September 11, 2024 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા રથ સાથે શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવ્યું પત્રિકા વિતરણ


કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રની બેદરકારી સામે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા રથ સાથે શહેરના મુખ્ય માર્ગો પર પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.


આ અભિયાનમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી,  જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જે. ટી.પટેલ, જિલ્લા મહામંત્રી દેવદાનભાઈ, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ દીપકભાઈ વસોયા,નગરપાલિકાના પૂર્વ સદસ્ય મહેશભાઈ વાદી સહિતના કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.


કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને સરકારી તંત્ર ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરવા અને ભાજપ સરકારના કારનામાઓનો ખુલાસો કરવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application