જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પ્રશ્ર્ને સુભાષનગરમાં જનજાગૃતિ શિબિર યોજાઈ હતી.
જેતપુર કેમિકલયુક્ત ગંદુ પાણી શુદ્ધ કરી અને પોરબંદરના નજીકના દરિયામાં ઠાલવવાના પ્રોજેકટને રદ કરવા માટે સુભાષનગર ખારવા સમાજના પુર્વ પટેલ હરીશભાઈ તુંબડીયાની આગેવાનીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને આ મિટિંગમાં માચ્છીમાર એકતા સમિતિ ગુજરાતના સભ્ય અશ્ર્વિન દેવજીભાઈ મોતીવરસ અને ટિમ સાથે આ જેતપુર પ્રોજેક્ટને રદ કરવાથી લઈ અને નાના નાના હોડીના માલિક હાલમાં જ કર્જદાર બની ગયા છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તો દુર-દુર સુધી માછલીનો જથ્થો મળતો નથી અને ખર્ચ પણ વધારે થાય છે અને દિવસે-દિવસે માછલીઓની અમુક પ્રજાતિ લુપ્ત થતી જાય છે અને માચ્છીમારીનો આ વ્યવસાય મરણ પથારી તરફ ધકેલાય ગયો છે અને વારંવાર દરિયામાં ઉદભવતા વાવાઝોડાને કારણે અને ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાઈ જીવ સૃષ્ટિ અને માછલીઓ પણ જે કાંઠા વિસ્તારમાં બીડીગ કરવા માટે આવે છે તેમાં પણ મોટો ઘટાડો થયો છે અને જો જેતપુરનું આ કેમિકલયુક્ત પાણી જો દરિયામાં નાખશે એટલે દરિયા કિનારે માછલીઓ બિડિંગ કરવા આવશે એટલે આ માંદા માછલીઓ મરણ પામશે અને જો મરણ પામશે એટલે દરિયામાં માછલીઓની સંખ્યામાં ઘટાડો આવશે અને માચ્છીમાર ભાઈઓ બેકાર બનશે અનેક ચર્ચાઓ માચ્છીમાર ભાઈઓના હિત માટે ચર્ચા પણ કરવામાં આવી હતી અને કોઈપણ ભોગે દરિયામાં જેતપુરનું પાણી નાખવા દેવામાં આવશે નહિ તેના માટે આરપારની લડાઈ લડવા અને ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવા કમર કસી છે,સુભાષનગર ખારવા સમાજના માજી પટેલ હરીશભાઈ તુંબડીયા,ખારવા સમાજ આગેવાન ભીખુભાઇ પવનીયા, રાજેશભાઈ સલેટ, પરષોત્તમભાઈ પરમાર, આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને માચ્છીમાર એકતા સમિતિ ગુજરાત અશ્વિન દેવજીભાઈ મોતીવરસ, પ્રતાપભાઈ શેરાજી લાલજીભાઈ ગોશિયા, શૈલેષભાઇ જુંગી, ઉમેશભાઈ બરીદુન હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech