રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તા.1-4-2024થી વેરો વસુલવાની કામગીરી શરૂ થયેલ છે. જેમાં મિલ્કતવેરા વળતર યોજના અંતર્ગત આજ સુધીમાં 3,27,828 કરદાતાઓ દ્વારા કુલ 242.62 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 92,776 કરદાતાઓએ વેરો કુલ 95.45 કરોડ અને ઓન લાઇનના દ્વારા 2,35,052 કરદાતાઓએ કુલ 147.17 કરોડની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 24.05 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે તા.1-06-2024 થી 28-6-2024 સુધીમાં કુલ 21,262 કરદાતાઓએ કુલ 18.23 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 8,956 કરદાતાએ વેરો કુલ 10.47 કરોડ અને ઓન લાઇન દ્વારા 12,306 કરદાતાઓએ કુલ 7.76 કરોડની ભરપાઇ કરેલ છે. જુન માસમાં વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 6.99 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
હાલ તા.30-06-2024 સુધી પાંચ વળતર યોજના (મહીલા કરદાતાઓ માટે 10 ટકા વળતર યોજના) ચાલુ હોય કરદાતાઓને વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજા દિવસે પણ 'કલ્કી 2898 એડી'ની બોક્સ ઓફિસ પર ધમાલ, કર્યું આટલા કરોડનું કલેક્શન
June 30, 2024 11:56 PMગુજરાત: ગોધરામાં NEETની ગેરરીતિ મામલે મોટો ઘટસ્ફોટ, સ્કુલ સંચાલકન ધરપકડ બાદ થયા ખુલાસા
June 30, 2024 11:54 PM‘પાજી બે પેગ વધુ તો નથી થઈ ગયા ને ?’, કપિલ શર્માની આ પોસ્ટ પર ફેન્સના ફની રીએક્શન થયા વાઇરલ
June 30, 2024 11:53 PMટીમ ઈન્ડિયાની જીત બાદ જાણો આલિયા કેમ થઈ રહી છે ટ્રોલ, ફેન્સ રાહાની મમ્મીથી થયા નારાઝ
June 30, 2024 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech