પોરબંદરના ખાંભોદર નજીક રોડની વચોવચ જ ભુવો પડતા તેના સમારકામની કામગીરી માટે ચાર દિવસ સુધી જામખંભાળિયા ભાણવડ ના કોલીખડા રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પોરબંદરથી અડવાણા-ખંભાળીયા હાઈવે પર ખાંભોદર નજીક રોડ ઉપર ડ્રેઈનની મરામતની કામગીરી કરવાની હોવાથી આ રસ્તા પર એસ.ટી. બસ, ટુ વ્હીલર, ફોર વ્હીલર, ટ્રક સહિતના વાહનોની અવરજવર ચાર દિવસ માટે બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ રાયજાદાએ જાહેરનામું પ્રસિદ્ધ કરી આદેશ કર્યો છે. ખાંભોદર પાસે રોડ વચ્ચે સ્લેબ ડ્રેઈનની મરામત કરવાની હોવાથી ચાર દિવસ સુધી રસ્તો બંધ વૈકલ્પિક રૂટ પર વાહનોને ડાયવર્ટ કરવા જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ખાંભોદર પાસે રસ્તાની મરામત થતી હોવાથી ખંભાળીયા, ભાણવડ, નાગકા, કોલીખડા, પોરબંદર રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તમામ પ્રકારની વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી વૈકલ્પિક ટ પર વાહનોની અવરજવર કરવા આદેશ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech