અલીયાબાડા ANM તાલીમ શાળામાં કાર્યક્રમ યોજાયો
જામનગરનાં અલીયાબાડામાં આવેલ ANM તાલીમ શાળામાં વિદ્યાર્થીનીઓને ટીબી, લેપ્રસી અને એનિમિયા જેવા ગંભીર રોગો વિશે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને રોગો વિષે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. પલ્મોનરી ટીબીના દર્દી જ્યારે ખાંસી ખાય છે, છીંક ખાય છે, ત્યારે બેક્ટેરિયા હવામાં ફેલાય છે જે બીજા ને ચેપ લગાડી શકે છે.માટે દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી જરૂરી છે. ઉપરાંત ટીબી રોગના લક્ષણો જેવાકે બે અઠવાડિયા કે તેથી વધારે સમયથી ઉધરસ આવવી, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટી જવું જેવા ટીબી રોગના લક્ષણો વિષે માહિતી આપવામાં આવી હતી.
ટીબી રોગનું નિદાન કઈ-કઈ પદ્ધતિથી થાય છે, તેની સારવાર તેમજ યોજના જેવી કે નિ-ક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના તમામ દર્દીને પોષણ યુક્ત આહાર માટે દવા ચાલુ રહે ત્યાં સુધી ખાતામાં રૂપિયા ૫૦૦ જમા કરવામાં આવે છે. દર્દીને શું કાળજી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. ટીબી રોગનું નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે તમામ આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવે છે.
કાર્યક્રમમાં બાદ વિદ્યાર્થીનીઓને પત્રિકાઓ આપવામાં આવી હતી તેમજ ક્વીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન મેળવી જામનગરને ટીબી મુક્ત બનાવવા સંકલ્પ લીધો હતો.
અલીયાબાડા ANM તાલીમ શાળાના આચાર્યશ્રી ફીલોમીના એસ.પારઘે દ્વારા સારો પ્રતિભાવ આપવામાં આવ્યો અને આવા આરોગ્ય જાગૃતતાના કાર્યક્રમ અવારનવાર સ્કુલમાં થાય તે અંગે આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ શ્રી ડો.નુપુર પ્રસાદ અને જીલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.પ્રેમકુમાર કન્નરના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી શ્રી ચિરાગ પરમાર દ્વારા વિદ્યાર્થીનીઓને ટીબી રોગ અંગે માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech