અત્યાર સુધી અમે માનતા હતા કે પ્લાન્ટ આધારિત આહાર એ સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે પરંતુ તાજેતરના અભ્યાસે આ ધારણાને બદલી નાખી છે. આ સંશોધન મુજબ અત્યંત પ્રોસેસ્ડ પ્લાન્ટ આધારિત ખોરાક હૃદય રોગ અને અકાળ મૃત્યુનું જોખમ વધારી શકે છે.
યુકે બાયોબેંકના ડેટા પર આધારિત આ અભ્યાસ ધ લેન્સેટ રિજનલ હેલ્થ - યુરોપ જર્નલમાં પ્રકાશિત થયો છે. સંશોધકોએ 40 થી 69 વર્ષની વયના 1.18 લાખથી વધુ લોકોના આહાર અને આરોગ્યના રેકોર્ડનું વિશ્લેષણ કર્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો પ્રોસેસ્ડ પ્લાન્ટ ફૂડનું વધુ પ્રમાણમાં સેવન કરે છે તેમને હૃદય રોગનું જોખમ 5% અને મૃત્યુનું જોખમ 13% વધી જાય છે.
આ અભ્યાસના મુખ્ય લેખક ડો. ક્લેર મેરી સ્ટેસી કહે છે કે અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રોસેસ્ડ પ્લાન્ટ-આધારિત ખોરાકનું સેવન હૃદય રોગ અને મૃત્યુના જોખમ સાથે સંકળાયેલું છે. જો કે એ નોંધવું અગત્યનું છે કે એકંદરે છોડ આધારિત આહાર હજુ પણ સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રોસેસ્ડ પ્લાન્ટ-આધારિત ખોરાક શું છે, જે આપણા માટે હાનિકારક હોઈ શકે છે?
વાસ્તવમાં આ એવા ખાદ્યપદાર્થો છે જેમાં તેમની પ્રાકૃતિક અવસ્થાથી ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં ઘણી વખત વધારાની ખાંડ, મીઠું, ચરબી અને કૃત્રિમ ઘટકો ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પેકેજ્ડ ઈમિટેશન મીટ, વેજીટેબલ હોટડોગ્સ, ફ્રોઝન ફ્રાઈસ અને પેકેજ્ડ નાસ્તાને પ્રોસેસ્ડ પ્લાન્ટ આધારિત ખોરાક ગણી શકાય.
ડોકટર કહે છે કે આ પ્રોસેસ્ડ ફૂડ્સમાં પોષક તત્ત્વોની માત્રા ઘણી ઓછી હોય છે. જે તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને કઠોળમાં જોવા મળે છે. વધુમાં તેમાં ખાંડ, મીઠું અને ચરબી વધારે હોઈ શકે છે. જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે. તેથી આનો અર્થ એ નથી કે તમારે પ્રોસેસ્ડ પ્લાન્ટ આધારિત આહાર સંપૂર્ણપણે છોડી દેવો જોઈએ. પરંતુ તમારા આહારમાં બને તેટલા ઓછા પ્રોસેસ્ડ ખોરાકનો સમાવેશ કરો. તાજા ફળો, શાકભાજી, આખા અનાજ, કઠોળ, બદામ અને કઠોળ સ્વસ્થ રહેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ ઓછો કરો અને તાજી, કુદરતી વસ્તુઓને પ્રાધાન્ય આપો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ બતાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMઉર્વશી 4.5 લાખની કિમતનું પોપટ શેપનું પર્સ લઈ કાન્સમાં પહોંચી
May 14, 2025 11:24 AMજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech