ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ યોજના અંગેની ગતિવિધિ શરૂ કરી છે. આ જેના ભાગ રૂપે યોજનાના આગળ ધપાવવા માટે ભાવનગર પરાથી કુંભારવાડા, મોતીતળાવ-વીઆઈપી સહિતના વિસ્તારોના કાચા-પાકા દબાણો સામે કાર્યવાહી કરતા પૂર્વે નિયમોનુસાર મહાપાલિકા તંત્ર દ્વારા ૪૭૭ હેઠળ તમામ દબાણકર્તાઓને નોટિસો આપી દબાણ વાળી જગ્યા તેમજ મિલ્કતના જરૂરી આધાર-પુરાવાઓ નિયત સમયમાં તંત્ર સમક્ષ રજૂ કરવા માટે સૂચના આપવા માટેની કામગીરી ગઈકાલે હાથ ધરાઈ હતી. દરમ્યાન આજે સતત બીજા દિવસે પણ મહાપાલિકા દ્વારા કુંભારવાડા બ્રિજની અપસ્ટ્રીમમાં છઇંજ પર ૪૭૭ હેઠળ નોટીસ બજવણીની કામગીરી સવારથી જ હાથ ધરવામાં આવી છે. આજે તંત્રની જુદીજુદી બે ટીમો દ્વારા કુંભારવાડા મિલની ચાલી અને તેની આજુબાજુના વિસ્તારોમાં મળી ૨૫૦જેટલા દબાણકર્તાઓને નોટીસની બજવણી કરી છે. આજે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની અલગ-અલગ બે ટીમોએ મહાદેવ મ્યુ. ના ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલોપમેન્ટ તેમજ યોજના વિભાગના વડાઓ અને કર્મચારીઓના કાફલો સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવેલી નોટીસ બજવણીની કામગીરી દરમ્યાન લોકોના મોટા ટોળાં ઉમટ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech