બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શાળાઓમાં ખાલી પડેલી આચાર્યેાની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એકાએક સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ જાહેર થતાં ચૂંટણી આચાર સહીતાનો ભગં ન થાય તે માટે ઇન્ટરવ્યૂ ની પ્રક્રિયા મુલતવી રાખીને ચૂંટણી પચં પાસે માર્ગદર્શન માગવામાં આવ્યું હતું.
માધ્યમિક વિભાગના સંયુકત શિક્ષણ નિયામક દ્રારા આ સંદર્ભે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે ચૂંટણી પંચે આ સંદર્ભે જણાવ્યું છે કે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલુ રાખી શકાશે અને નિમણૂકોના હુકમ ૧૬ ફેબ્રુઆરી પછી એટલે કે મતદાનના દિવસ બાદ કરવાની શરતે મંજૂરી આપવામાં આવે છે.
ચૂંટણી પંચના આ નિર્ણય પછી હવે આચાર્ય ભરતીની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અગાઉ નિયત કરેલ તેમજ ઉમેદવારોના કોલલેટરમાં ફાળવેલ તારીખ અને સમય મુજબ તારીખ ૧૦ ફેબ્રુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. આ દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને તારીખ ૧૭ ફેબ્રુઆરી પછી સંબંધિત શાળા મંડળ દ્રારા નિમણૂકના હત્પકમો આપવામાં આવશે.
સંયુકત શિક્ષણ નિયામકે પોતાના આ પરિપત્રમાં જણાવ્યું છે કે તારીખ ૧૦,૧૧,૧૨ અને રોજ ૧૩ના રોજ ઇન્ટરવ્યૂ યથાવત રાખવામાં આવ્યા છે. તારીખ ૧ ફેબ્રુઆરીના અગાઉ રાખેલા ઇન્ટરવ્યૂ હવે ૧૫ ફેબ્રુઆરીએ લેવાશે, તારીખ ૩ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૪ ફેબ્રુઆરીએ, તારીખ ૪ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૭ ફેબ્રુઆરીએ, તારીખ ૫ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૮ ફેબ્રુઆરી, તારીખ ૬ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૯ ફેબ્રુઆરીએ, તારીખ સાત ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૨૦ ફેબ્રુઆરી અને તારીખ ૮ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech