ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે અમદાવાદ, વડોદરા, દાહોદ અને ભૂજની મુલાકાત બાદ આજે વડાપ્રધાન પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી છે. તેઓએ વિવિધ વિભાગોના ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. જોકે એ પહેલા પીએમ મોદીનો રોડ-શો શરૂ થયો છે. જેમાં વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રસ્તાની બન્ને બાજુ ઓપરેશન સિંદૂરના બેનર અને હાથમાં તિરંગો લઇને લોકો ઊમટ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.
PM મોદીનું સંબોધન પોઈન્ટમાં
- હું બે દિવસથી ગુજરાતમાં છું, દેશભક્તિનો જુવાળ, ગર્જના કરતો સિંદૂરીયો સાગર અને લહેરાતો તિરંગો જનમનના હૃદયમાં વસી ગયો છે.
- 1947માં પહેલો આતંકવાદી હુમલો કાશ્મીરમાં થયો હતો, જો એ દિવસે આ મુજાહિદ્દીનનો નાશ કરવામાં આવ્યો હોત તો આ દિવસો જોવા ન પડત
- સરદાર પટેલની વાત ત્યારે માનવામાં આવી નહોતી, આ સીલસીલો 75 વર્ષથી ચાલતો આવ્યો છે
- પાકિસ્તાન સમજી ગયું કે લડાઈમાં જીતી નહીં શકીએ એટલે તેણે પ્રોક્સી વોર ચાલુ કર્યું અને આતંકીઓને મોકલવાનું શરૂ કર્યું અને આપણે સહન કરતા રહ્યા
- શું ગોળીનો જવાબ ગોળાથી દેવો જોઈએ? ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ?
- વસુધૈવ કુટુંબકમ આપણી વર્ષો જૂની પરંપરા છે
- આજ સુધી આપણે જેને પ્રોક્સી વોર કહેતા હતા, 6 મે બાદ જે દૃશ્યો જોવા મળ્યા તેના પછી તે પ્રોક્સી વોર કહેવાનું સાહસ નહીં કરે
- 22 મિનિટમાં જ આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કરી દીધા, આ વખતે તો કેમેરામાં રેકોર્ડ કર્યું જેનાથી ઘરના જ સબૂત ન માંગે
- આતંકવાદીઓના જનાજા નીકળ્યા તેને પાકિસ્તાન દ્વારા સ્ટેટ ઓનર દેવામાં આવ્યું, આ સિદ્ધ કરે છે કે, પાકિસ્તાનનો આ પ્રોક્સી વોર નથી પણ તેનું ષડયંત્ર છે.
- હું નવી પેઢીને કહેવા માંગુ છે કે, દેશને કેવી રીતે બરબાદ કરવામાં આવ્યો
- આપણે કોરોના સામે લડાઈ લડી, પડોશીઓની મુશ્કેલી સહન કરી છતાં આપણી અર્થવ્યવસ્થા 4 નંબર પર પહોંચી ગઈ છે
- હું ગુજરાતનો ઋણી છું, અહીંની માટીએ મને મોટો કર્યો છે, જે મંત્ર તમે મને આપ્યો જે દેશવાસીઓને મદદરૂપ થાય તે માટે કોશિશ કરી રહ્યો છું
- દેશ રાહ જોવા માટે તૈયાર નથી, જો કોઈ રાહ જોવડાવે તો પાછળથી નારો સંભળાય છે કે મોદી હૈ તો મુમકિન હૈ
- અમારુ લક્ષ્ય છે 2047, આઝાદીનું વર્ષ અમે એટલું શાનદાર રીતે ઉજવીશું કે આખી દુનિયામાં વિકસિત ભારતનો ઝંડો લહેરાશે
- 2035માં ગુજરાતના 75 વર્ષ થશે અને પછીના વર્ષે ઓલમ્પિક યોજાશે
- ગુજરાત બન્યું ત્યારે એવી ચર્ચા થતી હતી કે ગુજરાત અલગ થઈને શું કરશે
- તમે વિચારો ક્યાં મીઠુ અને ક્યાં હીરા? આપણે આ યાત્રા કાપી છે. આપણે યોજનાબદ્ધ પગલા લીધા છે. આપણી સરકારના મોડેલની ચર્ચા દેશભરમાં થાય છે.
- મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોએ જો સંકલ્પ ન કર્યો હતો તો વર્ષ 1947માં પણ આપણને આઝાદી ન મળી હોત. હવે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો છે. વર્ષ 2035માં ગુજરાતને 75 વર્ષ થશે ત્યારે ગુજરાત ક્યાં પહોંચશે એ જોજો. ગુજરાત 75 વર્ષનું થશે એના એક વર્ષ પછી જ ઓલિમ્પિક થશે. દેશ ઇચ્છે છે કે આ ઓલિમ્પિક ગુજરાતમાં થાય.
- કાલે 26 મે હતી, 2014માં 26 મેના રોજ મેં પહેલીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે ભારતની ઇકોનોમી 11મા નંબરે હતી, આપણે કોરોનાથી લડાઇ લડી, પાડોશીઓથી મુસીબતો વેઠી છતાં પણ આટલા ઓછા સમયમાં આપણે 11 નંબરની ઇકોનોમીથી 04 નંબર પર આવી ગયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech