સરદાર જયંતીએ વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે

  • October 21, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલની જન્મ જયંતી તા.31ના રોજ પ્રધાનમંત્રી સરદાર પટેલને સવારે 7-30 વાગે પુષ્પાંજલિ આપી 8 વાગે પ્રજાજોગ સંબોધન કરશે. 9-30 કલાકે દિલ્હી જવા રવાના થશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ વર્ષે દિવાળી હોવાથી અદભુત રીતે ઉજવણી કરવામા આવશે. સાંજે દોઢ લાખથી વધુ દીપ પ્રગટાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને વિશેષ રીતે શણગારવામાં આવશે અને દિવાળીની ઉજવણી કરાશે.
સરકારની ટીમો દ્વારા એકતા દિવસની ઉજવણી અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનેક નવા પ્રકલ્પ્નું લોકાર્પણ અને ખાતમુહર્ત થનાર છે. આ ઉપરાંત નવા પ્રકલ્પોનો પણ ભૂમિ પૂજન થાય તેવી તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમના આરંભમાં લાલ બહાદુર શાસ્ત્રી આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી આવેલા 600થી વધુ આઈએએસ અધિકારીઓને સંબોધન વડાપ્રધાન કરનાર છે તેની પણ તૈયારીઓ ચાલી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળી પર્વ દરમિયાન અત્યારથી ધમધમાટ જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદીત અગ્રવાલ એ જણાવ્યું હતું ગત એ વર્ષે 50 લાખ જેટલા પ્રવાસે આવ્યા હતા. અહીંયા 90 ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવામાં આવી રહી છે. પ્રવાસીઓ માટે નવા નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. અને પ્રવાસીઓ અહીંયા રોકાય તે માટે અનેક નવા પ્રકલ્પો પણ બની રહ્યા છે.
 આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેઓના હસ્તે સૂર્ય ઉર્જા સંચાલિત સોલાર પેનલનો પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. 31 ઓક્ટોબરે દિવાળી નો દિવસ હોવાથી આ દિવસે દોઢ લાખથી વધુ દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application